News & Events


09-08-2026
કસ્તુરબા અધ્યાપન મંદિરમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભાકવભીની અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોલેજની તમામ તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય, શ્લોક અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો. ત્યારબાદ તાલીમાર્થી બહેનોએ વિવિધ આદિવાસી બોલીઓ જેવી કે ચૌધરી, ગામીત, વસાવા અને કોંકણીમાં સંવાદો રજૂ કરી પોતાની ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યતાની સુંદર ઝલક રજૂ કરી હતી. આ પ્રસંગે અધ્યાપકશ્રી ચંદ્રકાંતભાઈએ ગામીત ભાષામાં આદિવાસી સંસ્કૃતિ, રીત-રિવાજો અને પરંપરાઓનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમાર્થી બહેનોએ નાટકો દ્વારા આદિવાસી જીવનશૈલી, સંસ્કૃતિ અને પરંપરાઓને જીવંત બનાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રતિકભાઈ વ્યાસે તાલીમાર્થી બહેનોની સુંદર કૃતિઓની પ્રશંસા કરી હતી તથા સૌને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના જતન તથા સન્માનનું મહત્વ સમજાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ઋત્વિકા ચૌધરી, અંજલી વસાવા અને જ્યોતિ વસાવાએ કર્યું હતું. કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને વારસાના જતન પ્રત્યે ગૌરવ તથા જાગૃતિની ભાવના કેળવાઈ. સમગ્ર કાર્યક્રમ જ્ઞાન, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય બની રહ્યો.

07-08-2026
3. કવિવર રવીન્દ્રનાથ ટાગોર પુણ્યતિથિની ભાવભીની ઉજવણી


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી (ડી.એલ.એડ. કોલેજ) ખાતે તા. ૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ વિશ્વકવિ, મહાન ચિંતક, કવિ, સાહિત્યકાર અને કેળવણીકાર રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ભાવભીની અને જ્ઞાનસભર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો પ્રારંભ શ્લોક, ટાગોર રચિત પ્રાર્થના તથા “ભેંગે મોરે”ના સમૂહગાનથી કરવામાં આવ્યો. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રતિકભાઈ વ્યાસે PPT દ્વારા ટાગોરના જીવન, સાહિત્ય, શિક્ષણદર્શન અને ‘ગીતાંજલિ’ વિશે માહિતી આપી. ‘પોપટની તાલીમ’ વાર્તા દ્વારા શિક્ષણમાં ગોખણપટ્ટી કરતાં સ્વતંત્ર વિચારશક્તિ અને સર્જનાત્મકતાના મહત્ત્વને સમજાવવામાં આવ્યું. તાલીમાર્થી બહેનો તથા અધ્યાપકોએ ટાગોરના જીવનપ્રસંગો, વ્યક્તિત્વ, શિક્ષણવિચારો અને પ્રેરણાદાયી ઘટનાઓ વિશે પોતાના વિચારો રજૂ કર્યા. ભૂતપૂર્વ આચાર્ય સંગીતાબેન દેસાઈએ ટાગોરની બહુમુખી પ્રતિભા, બંગાળી ગીતોના અનુવાદ તથા “કરો રક્ષા કરો વિપદ માહી” પ્રાર્થનાનો ભાવાર્થ સમજાવી તાલીમાર્થીઓને ટાગોરનાં પુસ્તકો વાંચવા પ્રેરણા આપી. “એકલો જાને રે” અને “ચરણ આપના ક્યા બિરાજે” જેવા ગીતોની સુંદર રજૂઆત પણ કરવામાં આવી. આ પ્રસંગે ટાગોરના પુસ્તકોનું પ્રદર્શન તેમજ રંગોળી, નિબંધ, ચિત્ર, વક્તૃત્વ, વર્ગખંડ સુશોભન, મહેંદી અને કેશગૂંફન જેવી વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન નેહાંગી ચૌધરીએ કર્યું. અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું. આ સમગ્ર આયોજન ટાગોરના જીવન, સાહિત્ય, શિક્ષણદર્શન, કલા અને માનવતાવાદી વિચારોને સમજવા તથા જીવનમાં ઉતારવાની પ્રેરણા આપનારું બની રહ્યું. કાર્યક્રમ જ્ઞાન, કલા, સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય બની સ્મરણિય રહ્યો.

29-07-2026
2. કસ્તુરબા અધ્યાપન મંદિરમાં ગુરુપૂર્ણિમાની ભાવભીની ઉજવણી


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે તા. ૨૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ ગુરુપૂર્ણિમાની ભવ્ય અને ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય, મંગળશ્લોક, પ્રાર્થના અને પ્રેરણાદાયી ગીતથી કરવામાં આવ્યો. ત્યારબાદ તાલીમાર્થી બહેનોએ ગુરુવંદના અર્પણ કરી હતી. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રતિકભાઈ વ્યાસે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું તેમજ ગુરુપૂર્ણિમાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે માહિતી આપી. તાલીમાર્થી બહેનો ત્વિષા પટેલ, પલ રાજપૂત, દીશા કે. ચૌધરી અને નિધિ ગેઈને ગુરુપૂર્ણિમા વિષય પર વક્તવ્ય રજૂ કર્યા. વિવિધ ટુકડીઓ દ્વારા ભક્તિભાવસભર ગીતોની સુંદર રજૂઆત પણ કરવામાં આવી. અધ્યાપકમિત્રો શ્રી પંકજભાઈ, શ્રી ચંદ્રકાંતભાઈ અને શ્રીમતી પાર્વતીબેને ગુરુ-શિષ્ય સંબંધો, શિક્ષકના જીવનમૂલ્યો અને પોતાના અનુભવો રજૂ કર્યા. નિવૃત્ત આચાર્ય શ્રીમતી સંગીતાબેને ગુરુના જીવનમાં રહેલા અમૂલ્ય સ્થાન અંગે હૃદયસ્પર્શી વિચારો વ્યક્ત કરી ગુરુપૂર્ણિમાને આત્મચિંતન અને કર્તવ્યના પુનઃમૂલ્યાંકનનો અવસર ગણાવ્યો. કાર્યક્રમનું સંચાલન દિશા એમ. ચૌધરી અને ક્રિષ્ના ચૌધરીએ કર્યું. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન થયું. સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, સંસ્કાર, જ્ઞાન અને ગુરુપ્રત્યેની કૃતજ્ઞતાથી ઓતપ્રોત રહ્યો અને તાલીમાર્થીઓને ગુરુના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા મળી.

11-07-2026
1. કસ્તુરબા અધ્યાપન મંદિરમાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે તા. ૧૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ વિશ્વ વસ્તી દિવસની જ્ઞાનસભર અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ શ્લોક, પ્રાર્થના અને પ્રેરણાદાયી ગીતથી કરવામાં આવ્યો. કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. પ્રતિકભાઈ વ્યાસે વિશ્વ વસ્તી દિવસનો ઇતિહાસ, હેતુ, વધતી વસ્તીના વૈશ્વિક તથા રાષ્ટ્રીય પડકારો અને તેના ઉકેલો અંગે માહિતીસભર માર્ગદર્શન આપ્યું. તેમણે તાલીમાર્થીઓને જવાબદાર નાગરિક બનવા અને સમાજ-પર્યાવરણ પ્રત્યે જાગૃત રહેવા પ્રેરણા આપી. આ પ્રસંગે પોસ્ટર, ચિત્ર અને નિબંધ લેખન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને સામાજિક સંવેદનાનું સુંદર પ્રદર્શન કર્યું. ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા બે અસરકારક નાટકોએ વધતી વસ્તીના સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવી. અધ્યાપકમિત્રો શ્રી પંકજભાઈ અને શ્રીમતી પાર્વતીબેને વિશ્વ વસ્તી દિવસના મહત્વ તથા વધતી વસ્તીથી સર્જાતા પડકારો અંગે પોતાના વિચારો રજૂ કર્યા. શ્રી ચંદ્રકાંતભાઈએ તાલીમાર્થીઓને પ્રશ્નો પૂછી તેમની સમજનું મૂલ્યાંકન કર્યું. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું ગૌરવપૂર્ણ સમાપન થયું. સમગ્ર કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓમાં વસ્તી નિયંત્રણ, પર્યાવરણ સંરક્ષણ અને જવાબદાર નાગરિકત્વ અંગે જાગૃતિ કેળવાઈ.

22-02-2026
15. *પલાશ પર્વમાં કસ્તૂરબા અધ્યાપન મંદિર બોરખડી દ્વારા અર્વાચીન ગરબાની આકર્ષક રજૂઆત


તા. ૨૨/૦૨/૨૦૨૬ ના રોજ બાબરઘાટ, તા. ઉચ્છલ, જી. તાપી જિલ્લો ખાતે યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી, વ્યારા દ્વારા આયોજિત “પલાશ પર્વ”માં કસ્તૂરબા અધ્યાપન મંદિર, બોરખડીના વિદ્યાર્થીઓએ અર્વાચીન ગરબાની અદભુત અને મંત્રમુગ્ધ કરી દે તેવી રજૂઆત કરી હતી. વિદ્યાર્થીઓએ પરંપરાગત ગરબાના મૂળ તત્વોને આધુનિક સંગીત અને કલાત્મક અભિવ્યક્તિ સાથે સંકલિત કરીને અર્વાચીન ગરબાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. રંગબેરંગી વેશભૂષા, તાલબદ્ધ પગલાં અને સંગીતના સુમેળથી સમગ્ર વાતાવરણમાં આનંદ અને ઉત્સાહ છવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ અને આત્મવિશ્વાસભરી રજૂઆતને ઉપસ્થિત મહાનુભાવો અને દર્શકો દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. આ પ્રસ્તુતિ સંસ્થાના શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના સતત પરિશ્રમનું ઉત્તમ પ્રતિબિંબ બની હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે તેમની સર્જનાત્મકતા અને સાંસ્કૃતિક પ્રતિભા પ્રદર્શિત કરવાની ઉત્તમ તક સાબિત થયો હતો. અર્વાચીન ગરબાની આ રજૂઆત દ્વારા કસ્તૂરબા અધ્યાપન મંદિર, બોરખડીનું નામ ગૌરવપૂર્વક ઉજ્જવળ બન્યું હતું.

28-01-2026
તાપી જિલ્લાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫


તાપી જિલ્લાનો *એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬* પ્રાથમિક શાળા, કપૂરા ખાતે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો. શિક્ષણમાં નવીનતા, સર્જનાત્મકતા અને ગુણવત્તાસભર અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ ફેસ્ટિવલમાં જિલ્લાની *48 શાળાઓએ વિવિધ શિક્ષણલક્ષી ઈનોવેશનનું પ્રદર્શન* કર્યું. આ પ્રસંગે કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની ડી.એલ.એડ. કોલેજ દ્વારા તૈયાર કરવામાં આવેલા *ઈનોવેશન સ્ટોલને સારો પ્રતિસાદ* મળ્યો. તાપી જિલ્લાના માનનીય કલેક્ટર *ડૉ. વિપીનભાઈ ગર્ગ*ે સ્ટોલની મુલાકાત લઈ ઈનોવેશનની સંકલ્પના, ઉપયોગિતા, અમલીકરણ અને શૈક્ષણિક લાભો અંગે માહિતી મેળવી. કલેક્ટરશ્રીએ ઈનોવેશનની *નવીનતા અને પ્રયોગાત્મકતાની પ્રશંસા* કરી તથા શિક્ષણક્ષેત્રે આવા સર્જનાત્મક પ્રયાસો સતત આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી. તેમના પ્રોત્સાહનથી સમગ્ર ટીમમાં ઉત્સાહ અને નવી ઊર્જાનો સંચાર થયો. આમ, *એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ ૨૦૨૫–૨૬ શિક્ષણમાં નવીન વિચારો અને નવી દિશાને પ્રોત્સાહન આપતો સફળ તથા પ્રેરણાદાયી કાર્યક્રમ* બની રહ્યો.

26-01-2026
77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી સન્માનિત


તાપી જિલ્લાના બાબરઘાટ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીને તેની *સાંસ્કૃતિક ક્ષેત્રની વિશિષ્ટ સિદ્ધિઓ* બદલ માનનીય કલેક્ટર ડૉ. વિપીનભાઈ ગર્ગના હસ્તે સન્માનિત કરવામાં આવ્યું. સંસ્થાએ વર્ષ 2024–25માં રાજ્ય કક્ષાના કલા મહાકુંભમાં *ગરબામાં દ્વિતીય અને રાસમાં તૃતીય સ્થાન* મેળવ્યું હતું. તેમજ વર્ષ 2025–26ના નવરાત્રિ રાસ-ગરબા મહોત્સવમાં રાજ્ય કક્ષાએ *તૃતીય સ્થાન* પ્રાપ્ત કર્યું હતું. આ સિદ્ધિ સંસ્થાના આચાર્ય, અધ્યાપકો અને તાલીમાર્થી બહેનોની મહેનત, પ્રતિબદ્ધતા અને ટીમભાવનાનું પરિણામ છે. વિશેષ નોંધનીય છે કે *છેલ્લા ત્રણ વર્ષમાં બે વખત જિલ્લા કલેક્ટરના હસ્તે સંસ્થાને સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવી છે.* આ સન્માનથી કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી તેમજ સમગ્ર તાપી જિલ્લાને ગૌરવની લાગણી અનુભવી છે.

18-01-2026
કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડી ખાતે "વારલી ચિત્રકળા વર્કશોપ" યોજાયો.


ગ્રામ સેવા સમાજ, વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે તારીખ *17 અને 18 જાન્યુઆરી 2026* દરમિયાન *વારલી ચિત્રકલા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા (જિલ્લો તાપી)* ના સહયોગથી બે દિવસીય *વારલી ચિત્રકળા વર્કશોપ*નું આયોજન આચાર્ય શ્રી સંગીતાબેન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને ઉજાગર કરવો તેમજ વારલી ચિત્રકળાનું મહત્વ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સમજાવવાનો હતો. વર્કશોપમાં માર્ગદર્શક તરીકે *શ્રી યોગેશભાઈ ચૌધરી, **શ્રી મહેશભાઈ ચૌધરી **શ્રી યોગેશભાઈ બેડચીત **શ્રી નિકુંજભાઈ ચૌધરીઅને *કૃષ્ણાબેન એ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ આયોજનમાં ડી.એલ.એડ. કોલેજની તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન *આચાર્યશ્રી સંગીતાબેન દેસાઈ* અને *અધ્યાપક ડૉ. પ્રતિકભાઈ વ્યાસ*નું સતત માર્ગદર્શન મળ્યું હતું. વર્કશોપ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અને પ્રેરણાદાયક સાબિત થયો હતો. આ વર્કશોપમાં હાજર રહ્યા બદલ સૌ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં.

23-12-2025
પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ-2025-26


તા.23.12.25 ના રોજ નવસારી મુકામે નવ જિલ્લા અંતર્ગત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભનું આયોજન થયું હતું. નવ જિલ્લામાંથી શ્રેષ્ઠ ગરબા રજૂ થયા હતા . તેમાં તાપી ની કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડી ની ટીમે 21 થી 59 વયજૂથ માં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે.આ ઉપરાંત રાસ 21 થી 59 વય જૂથ માં ત્રીજો નંબર મેળવેલ છે. તા.2.1. 26 ના રોજ વીર નર્મદ યુનિવર્સિટી , સુરત ખાતે રાજ્ય કક્ષાના કલા મહાકુંભ માં ગરબો રજૂ થશે.

21-12-2025
કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે દાનોત્સવ કાર્યક્રમ


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે *LARSEN & TOUBRO (L&T), સુરત* દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે દાનોત્સવ કાર્યક્રમ યોજાયો. L&Tના જનરલ મેનેજર શ્રી મહેશભાઈ જોશી સહિતના અધિકારીઓ અને આશરે 35 સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા. દાનોત્સવ અંતર્ગત આજુબાજુના ગામોના જરૂરિયાતમંદ લોકોને *કપડાં, રમકડાં, વાસણો સહિતની ઉપયોગી સામગ્રીના આશરે 120 બોક્સ*નું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સંસ્થાના આચાર્ય શ્રીમતી સંગીતાબેન દેસાઈએ સંસ્થાનો પરિચય અને સિદ્ધિઓની માહિતી આપી. માનસીબેન દેસાઈએ દાનોત્સવનો હેતુ સમજાવ્યો, જ્યારે શ્રીમતી મેઘનાબેન જોશીએ દાનના મહત્વ અને નિઃસ્વાર્થ સેવાભાવ અંગે માર્ગદર્શન આપ્યું. પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોએ સ્વાગત નૃત્ય તથા બોરખડીનો પરંપરાગત ગરબો રજૂ કર્યો. મહેમાનો સાથે સમૂહ ગરબાની રમઝટથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું. આ સેવાકીય કાર્યક્રમનો લાભ *આજુબાજુના ગામોના જરૂરિયાતમંદ લોકો, શેરડી કામદારો તથા વિદ્યાર્થીઓએ* લીધો. અંતે સૌએ સાથે ભોજન લીધું અને L&Tની ટીમે સમગ્ર આયોજન અંગે આનંદ અને સંતોષ વ્યક્ત કર્યો. આમ, *સેવા, સહકાર અને સામાજિક જવાબદારીની ભાવનાને ઉજાગર કરતો આ દાનોત્સવ સૌ માટે યાદગાર બની રહ્યો.*

07-12-2025
સયાજી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય યોગ શિબિર


ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને તાપી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અંતર્ગત વ્યારા સયાજી ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. 6 અને 7 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો. આ શિબિરમાં કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીના કુલ *50 NSS સ્વયંસેવકો* ઉત્સાહપૂર્વક જોડાયા હતા. શનિવારે સાંજે 4.15 થી 6.15 અને રવિવારે સવારે 6.15 થી 8.15 સુધી ચાલેલી આ શિબિરમાં યોગ નિષ્ણાતોએ વિવિધ આસન, પ્રાણાયામ તથા ધ્યાનની પદ્ધતિઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. યોગ નિષ્ણાતો દ્વારા મેદસ્વિતા ઘટાડવામાં યોગનું મહત્વ, શરીર લવચીકતા અને માનસિક શાંતિ અંગે ખાસ માહિતી આપવામાં આવી. સૂર્યનમસ્કાર સહિતના અનેક યોગાસનોનો પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ખાસ કરીને સંગીતની લય સાથે કરાવવામાં આવેલા યોગાભ્યાસને કારણે NSS સ્વયંસેવકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. શિબિર દરમિયાન સ્વયંસેવકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો, તેમજ દૈનિક જીવનમાં યોગને નિયમિત શામેલ કરવા પ્રેરણા આપવામાં આવી. જિલ્લા વહીવટી તંત્ર અને યોગ બોર્ડના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલ આ યોગ શિબિર સફળ અને અસરકારક રીતે પૂર્ણ થઈ હતી.

27-11-2025
તાપીનું ગૌરવ : અર્વાચીન ગરબામાં કસ્તુરબા અધ્યાપન મંદિર રાજ્યકક્ષાએ તૃતીય


રાજકોટ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના *નવરાત્રી રાસ–ગરબા મહોત્સવમાં ગુજરાતના તમામ જિલ્લાઓની પસંદગી પામેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગ્રામ સેવા સમાજ, વ્યારા સંચાલિત **કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની તાલીમાર્થી બહેનોએ અર્વાચીન ગરબામાં સમગ્ર રાજ્યમાં તૃતીય ક્રમ* પ્રાપ્ત કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું. આ સફળતા માટે સંસ્થાના આચાર્ય *સંગીતાબેન દેસાઈ, અધ્યાપક **ડો. પ્રતીકભાઈ વ્યાસ, તાલીમાર્થી બહેનો તથા સમગ્ર ટીમની નિયમિત મહેનત, સતત પ્રેક્ટિસ અને સુંદર આયોજન મહત્વપૂર્ણ રહ્યા. ગ્રામ સેવા સમાજના પ્રમુખ **અમરસિંહભાઈ ચૌધરી* તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી *અમૃતાબેન ગામીત*નું માર્ગદર્શન અને આશીર્વાદ મળ્યા હતા. ગરબાની પ્રસ્તુતિને નૈપુણ્યપૂર્ણ બનાવવા મુખ્ય કોરિયોગ્રાફર *ડો. હેમાંગભાઈ વ્યાસ* તથા સહ-કોરિયોગ્રાફર *આરોહી વ્યાસ*નો વિશેષ ફાળો રહ્યો. સંગીતકારો દ્વારા પણ સુંદર સંગત કરવામાં આવી. આ રાજ્યકક્ષાની સિદ્ધિ *તાપી જિલ્લા, સંસ્થા, તાલીમાર્થી બહેનો અને સમગ્ર ટીમ માટે ગૌરવ તથા આનંદની બાબત* બની રહી છે.

18-11-2025
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વ્યારા ખાતે યુનિટી માર્ચ – પદયાત્રા


સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વ્યારા ખાતે યુનિટી માર્ચ – પદયાત્રાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું, જેમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીના NSSના 50 તાલીમાર્થી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી, જેમાં સંસ્થાની બહેનોએ **પ્રાચીન પરંપરાગત ભારતીય લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં ગરબા અને રાસ સુંદર રીતે રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનો તથા નાગરિકોમાંથી ઉત્કૃષ્ટ પ્રતિસાદ મળ્યો હતો. પદયાત્રા દરમિયાન રેલી પનિહારી , ટીચકપુરા, માયપુર, કોહલી સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ હતી. માર્ગમાં વિવિધ સ્થળોએ **ફૂલો તથા તાળીઓથી અને ગરબાના તાલ સાથે * રેલીનું *ઉષ્માભર્યું સ્વાગત NSS તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્ર્મનું આયોજન અને સંચાલન NSS ઓફિસર ડો પ્રતિકભાઈ વ્યાસે કર્યું હતું. આ યુનિટી માર્ચ દ્વારા રાષ્ટ્રીય એકતા, દેશભક્તિ, સ્વયંસેવા, સાંસ્કૃતિક મૂલ્યો અને સામાજિક જાગૃતિ જેવા મૂલ્યોને સુંદર રીતે ઉજાગર કરવામાં આવ્યા હતા. NSS બહેનોએ શિસ્ત, સહકાર, નેતૃત્વ તથા જવાબદારી ભાવના સાથે ઉત્તમ કામગીરી રજૂ કરી હતી.

11-11-2025
વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે વંદે માતરમ્ ગીતના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત શ્લોકપાઠ અને પ્રાર્થનાથી થઈ. સંસ્થાની આચાર્ય સંગીતાબેને *વંદે માતરમ્*નો ઐતિહાસિક પરિચય અને સ્વતંત્રતા આંદોલનમાં તેની ભૂમિકા સમજાવી. ત્યારબાદ અધ્યાપક ડો. પ્રતીકભાઈ વ્યાસે ગીતના રચયિતા, રચના, ભાષા, ભાવાર્થ તથા રાષ્ટ્રીય મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તાલીમાર્થીઓને ત્રણ જૂથોમાં વિભાજિત કરી વંદે માતરમ્ આધારિત ક્વિઝ સ્પર્ધા યોજાઈ અને વિજેતા ટીમને ઇનામ આપવામાં આવ્યું. ત્યારબાદ સૌએ સમૂહમાં *વંદે માતરમ્*નું ગાન કર્યું. અધ્યાપક શ્રી ચંદ્રકાંતભાઈ ગામીતે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની પ્રતિજ્ઞા લેવડાવી. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું. આ સમગ્ર કાર્યક્રમ તાલીમાર્થીઓમાં *દેશપ્રેમ, રાષ્ટ્રીય એકતા, સ્વદેશી ભાવના અને માતૃભૂમિ પ્રત્યે આદરની ભાવના વિકસાવનાર પ્રેરણાદાયી પ્રસંગ* બની રહ્યો.

04-11-2025
એકતા ઉત્સવ – ભારત પર્વ ૨૦૨૫માં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની ગૌરવપૂર્ણ રજૂઆત


સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે *“એક ભારત – શ્રેષ્ઠ ભારત : એકતા ઉત્સવ – ભારત પર્વ ૨૦૨૫”*નું રાષ્ટ્રીય સ્તરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિવિધ રાજ્યોના કલાકારોએ પોતાની લોકસંસ્કૃતિની રજૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્યમાંથી *તાપી જિલ્લાના કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની સાંસ્કૃતિક ટીમની અર્વાચીન અને લોકગરબાની રજૂઆત માટે પસંદગી* કરવામાં આવી હતી. તાલીમાર્થી બહેનોએ ગુજરાતી પરંપરાગત વેશભૂષા, તાલ-લય અને લોકસંગીત સાથે સુંદર ગરબાની રજૂઆત કરી સૌના મન મોહી લીધા. ઉપરાંત યુનિટી ગ્લો ગાર્ડન ખાતે પાંચ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યોની લોકકળા અને સંસ્કૃતિને માણવાની તેમજ સાંસ્કૃતિક આપલે દ્વારા રાષ્ટ્રીય એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત કરવાની તક મળી. આ રાષ્ટ્રીય મંચ પર ગુજરાત અને તાપી જિલ્લાની લોકસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવી કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી માટે ગૌરવની બાબત છે. આ પસંદગી બદલ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરનો સંસ્થા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. *“એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના મંત્રને સાકાર કરતો આ પ્રસંગ સૌ માટે યાદગાર અને ગૌરવપૂર્ણ બની રહ્યો.*

11-10-2025
Mission Life અંતર્ગત Tapi fun fest -2025 કાર્યક્રમ


આજરોજ સયાજી ગ્રાઉન્ડ, વ્યારા ખાતે યોજાયેલ હતો. તેમાં અમારી કોલેજની તાલીમાર્થી બહેનોએ ટિપ્પણી નૃત્ય અને અર્વાચીન ગરબો રજૂ કર્યો હતો. મુખ્ય મહેમાનોને પોંખવાના કાર્યક્રમમાં સ્ટેજ પર રહેવાનો મોકો મળ્યો.

07-10-2025
નશાબંધી સપ્તાહની ઊજવણી.


આજ રોજ તા. 7.10.25 ના રોજ નિયામકશ્રી, નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આયોજિત" નશા મુકત ભારત અભિયાન 2025 " અંતર્ગત અધિક્ષક શ્રી નશાબંધી અને આબકારી ખાતું, વ્યારા જિલ્લા તાપી તરફથી આજરોજ અમારી સંસ્થામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમકે નિબંધ લેખન, વવકતૃત્વ સ્પર્ધા ,પોસ્ટર સ્પર્ધા , રેલી દ્વારા તાલીમાર્થી બહેનોને નશામુકત અંગે જાગ્રતતા દાખવવામાં આવી હતી. સંસ્થાના આચાર્ય સંગીતાબેને સૌ મહેમાનોનું સ્વાગત કરી વ્યસન મુક્તિનું મહત્વ સમજાવી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું..આ કાર્યક્રમમાં બહેનોનો ખૂબ મોટો રોલ ભજવવાનો હોય છે અને બહેનો દ્વારા જ સમાજમાં જાગ્રતતા ફેલાય એના પ્રયત્નો કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમસ્ત જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી નશાબંધી અને આબકારી ખાતાના અધિકારી શ્રી, ગ્રામજનો અને કોલેજની તાલીમાર્થી બહેનો એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવેલ અને નિબંધ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર આવેલ તાલીમાર્થી બહેનોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત તમામ બહેનોને બિસ્કીટનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. બહેનોએ પોસ્ટર લઈ એક સુંદર મજાની રેલીનું પણ આયોજન કર્યું હતું. બીજા વર્ષના તાલીમાર્થી દીપમાલાબેને પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરી ઉપસ્થિત સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. અંતમાં રાષ્ટ્રગીત ગાઈ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

22-09-2025
વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 25 ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ


અમદાવાદ ખાતે 1000 કલાકારો એક સાથે રજૂઆત કરવાના હોય તેવા પ્રોગ્રામમાં કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીની 32 બહેનોને ગુજરાત ટુરિઝમથી આમંત્રણ મળ્યું. એ આનંદની વાત છે. છેલ્લા ચાર દિવસથી બહેનો એ ખૂબ જ મહેનત કરી. એ કાર્યક્રમ રજૂ થવાની તૈયારીમાં છે. બહેનો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

27-08-2025
બ્લડ ડોનેશન કેમ્પ


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીના અધ્યાપક *ડો. પ્રતીકભાઈ વ્યાસના જન્મદિવસ* નિમિત્તે એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્ર, વ્યારા અને સંસ્થાના સહયોગથી અનોખી રીતે *રક્તદાન તથા બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ* યોજાયો. કેમ્પમાં *96 તાલીમાર્થી બહેનોએ* પોતાનું બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબીન ચકાસ્યું. સૌથી ઓછું હિમોગ્લોબીન ધરાવતી પાંચ બહેનોના હિમોગ્લોબીનમાં આગામી ત્રણ મહિનામાં વધારો થાય તે માટે ડો. પ્રતીકભાઈએ વ્યક્તિગત માર્ગદર્શન અને પ્રયત્ન કરવાની જવાબદારી સ્વીકારી. રક્તદાન અંગે જનજાગૃતિ માટે આજુબાજુના ગામોમાં બેનરો અને પત્રિકાઓ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો. કેમ્પમાં *8 રક્તદાતાઓએ રક્તદાન* કર્યું, જેમાં સૌપ્રથમ ડો. પ્રતીકભાઈ વ્યાસ અને અંતે પટાવાળા શ્રી જયસિંહભાઈએ રક્તદાન કર્યું. રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા તથા તમામ તાલીમાર્થી બહેનોને બ્લડ ગ્રુપ અને હિમોગ્લોબીનની માહિતી દર્શાવતાં કાર્ડ આપવામાં આવ્યાં. આ આયોજનમાં *મુકેશભાઈ શાહનું વિશેષ યોગદાન* રહ્યું. એલ. કે. પટેલ રક્તદાન કેન્દ્રના ડો. અરવિંદભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા સંસ્થાને પ્રશસ્તિપત્ર તથા ઋણસ્વીકાર પત્ર અર્પણ કરવામાં આવ્યો. જન્મદિવસની ખુશીમાં તમામ તાલીમાર્થી બહેનોને *બુંદીના લાડુથી મોં મીઠું* કરાવવામાં આવ્યું. આમ, જન્મદિવસની ઉજવણીને સમાજસેવા અને માનવસેવા સાથે જોડીને તેને *પ્રેરણાદાયી અને અનોખી ઉજવણી* બનાવવામાં આવી.

10-07-2025
ગુરુપૂર્ણિમા તથા પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનો પ્રવેશોત્સવ


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ડી.એલ.એડ. પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનો માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત શ્લોક, પ્રાર્થના અને ગીતથી થઈ. સંસ્થાના આચાર્ય શ્રીમતી સંગીતાબેન દેસાઈએ મહેમાનોનું સ્વાગત કરી ગુરુપૂર્ણિમા અને ગુરુ-શિષ્ય સંબંધનું મહત્વ સમજાવ્યું. પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું કંકુ તિલક, વેલકમ કાર્ડ, પુષ્પગુચ્છ તથા ઉપયોગી કીટ આપીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. તમામ તાલીમાર્થી બહેનોને પાંચ-પાંચ નોટબુક પણ આપવામાં આવી. દ્વિતીય વર્ષના તાલીમાર્થી પુષ્ટિ મહેતાએ ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું. અધ્યાપકો ડો. પ્રતીકભાઈ વ્યાસ, પંકજભાઈ પટેલ અને પાર્વતીબેન આહીરે તાલીમાર્થી બહેનોને શુભેચ્છા પાઠવી. પ્રસંગે તાલીમાર્થી બહેનોએ રાજ્યકક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ ગરબાની સુંદર રજૂઆત કરી સૌના દિલ જીતી લીધા. આમંત્રિત મહેમાનોએ રોકડ ઇનામ આપી બહેનોને પ્રોત્સાહિત કર્યા. મહિલા મંડળ દ્વારા તાલીમાર્થીઓ માટે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દ્વિતીય વર્ષના તાલીમાર્થી હેતશ્રી પટેલે કર્યું. આમ ગુરુપૂર્ણિમા તથા નવા તાલીમાર્થી બહેનોના પ્રવેશોત્સવની ઉજવણી *ઉત્સાહ, સંસ્કાર અને આત્મીયતાભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ.*

21-06-2022
વિશ્વ યોગ દિવસ


સયુંક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભારતીય સંસ્કૃતિની ઉત્તમ ભેટ એટલે યોગ.સદર સંસ્થાએ યોગને વૈશ્વિક સ્તરે વિરાસતમાં સામેલ કરેલ છે.જે અનુસાર 21 જૂન 2015થી પ્રત્યેક વર્ષે 21 જૂન ‘વિશ્વ યોગ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.તે અંતર્ગત અમારી કસ્તુરબા અધ્યાપન મંદિર ,બોરખડી D.El.Ed કોલેજમાં 21 જૂનના દિને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. અમારી કસ્તુરબા અધ્યાપન મંદિર ,બોરખડી કોલેજમાં યોગ દિનની તૈયારી બે દિવસ આગળથી ચાલતી હતી. યોગ વિશેના ફાયદા અને ગેરફાયદા શ્રી પંકજભાઈ એ સમજાવ્યા અને યોગ વિષેની સમજ આપી. કોલેજના અધ્યાપકો અને તાલીમાર્થી બહેનો દ્વારા કાર્યક્રમની રૂપરેખા અનુસાર આયોજન મુજબ ઉજવણી કરવામાં આવી. સવારે બધા વહેલા તૈયાર થઈને 7 વાગ્યે યોગ દિવસની ઉજવણીની તૈયારી કરવા લાગ્યા.બહાર મેદાનમાં બધા આસન ગોઠવીને કોલેજના આચાર્ય ,અધ્યાપકશ્રીઓ તેમજ બીજા વર્ષની તાલીમાર્થી બહેનો ગોઠવાઈ જઈને શ્લોક તથા શરૂઆતમાં સરળ ક્રિયાઓ કરી આસનો કર્યા. આસનોમાં જેમકે, ઊભા ઊભા કરવાના આસનો, બેસીને કરવાના આસનો,પેટ પર ઉંધા સૂઈને કરવાના આસનો,પીઠ પર સૂઈને કરવાના આસનો તેમજ પ્રાણાયામ કર્યા. ત્યાર બાદ 10:30 થી 11:00 વાગ્યે વંદે ગુજરાત ચેનલ પર અમે યોગ દિવસનો કાર્યક્રમ જોઇ અમે બધા છૂટા પડ્યા. આ રીતે અમે ઉત્સાહથી યોગ દિવસની ઉજવણી કરી. કાર્યક્રમને અંતે આચાર્ય સંગીતાબેને નિયમિત યોગ કરવા જણાવ્યું . યોગમાં કોલેજના અધ્યાપક ડો પ્રતીકભાઇ,ચંદ્રકાંતભાઈ અને પાર્વતીબેન જોડાયા હતા.

31-03-2022
32. વૃક્ષારોપણ કાર્યક્રમ


સને 2021-22 દરમિયાન અધ્યાપક મિત્રોએ પોતાના જન્મ દિવસ નિમિત્તે એક વૃક્ષ રોપવાનો અને ઉછેર કરવાનો સંકલ્પ લીધો હતો. એ અનુસંધાને સંગિતાબેન, પ્રતિકભાઈ ,ચંદ્રકાંતભાઈ, પાર્વતિબેન અને જયસિંહભાઈ એ પોતાના જન્મ દિવસ નિમિત્તે એક એક વૃક્ષ રોપી પર્યાવરણના જતન કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

31-03-2022
33. કોવિડ રસીકરણનો કાર્યક્રમ ભાગ-1


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે સંસ્થાના હોલમાં કોવિડ 19 ની રસીકરણનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં ડી.એલ.એડનાં તાલીમાર્થી બહેનો અને ગ્રામજનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો . પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માયપૂરની આરોગ્યની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 વર્ષથી વધુમાં આવતી બહેનોએ રસી લીધી હતી. અમુક બહેનોના માતા પિતાએ રસી લીધી ન હોય પણ તેઓ રસી લેવા તૈયાર હતાં આ કામ શિક્ષણથી થી શકે એવું ચોક્કસ લાગે છે. બે તબક્કે થઈને ડી.એલ.એડના બધાજ તાલીમાર્થી ઓએ વેક્સિન લીધી હતી.

31-03-2022
33. કોવિડ રસીકરણનો કાર્યક્રમ ભાગ-2


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે સંસ્થાના હોલમાં કોવિડ 19 ની રસીકરણનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં ડી.એલ.એડનાં તાલીમાર્થી બહેનો અને ગ્રામજનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો . પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માયપૂરની આરોગ્યની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 વર્ષથી વધુમાં આવતી બહેનોએ રસી લીધી હતી. અમુક બહેનોના માતા પિતાએ રસી લીધી ન હોય પણ તેઓ રસી લેવા તૈયાર હતાં આ કામ શિક્ષણથી થી શકે એવું ચોક્કસ લાગે છે. બે તબક્કે થઈને ડી.એલ.એડના બધાજ તાલીમાર્થી ઓએ વેક્સિન લીધી હતી.

31-03-2022
33. કોવિડ રસીકરણનો કાર્યક્રમ ભાગ-3


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી ખાતે સંસ્થાના હોલમાં કોવિડ 19 ની રસીકરણનો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં ડી.એલ.એડનાં તાલીમાર્થી બહેનો અને ગ્રામજનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો . પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માયપૂરની આરોગ્યની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 17 વર્ષથી વધુમાં આવતી બહેનોએ રસી લીધી હતી. અમુક બહેનોના માતા પિતાએ રસી લીધી ન હોય પણ તેઓ રસી લેવા તૈયાર હતાં આ કામ શિક્ષણથી થી શકે એવું ચોક્કસ લાગે છે. બે તબક્કે થઈને ડી.એલ.એડના બધાજ તાલીમાર્થી ઓએ વેક્સિન લીધી હતી.

15-03-2022
30. ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ ભાગ-2


ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાના રમતોત્સવ તા. 14-3-22 થી તા. 15-3-22 દરમિયાનમાં રાજકોટ મુકામે યોજાયેલ હતો. તેમાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. આ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ખો-ખો સ્પર્ધામાં 12 તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો . આ ઉપરાંત 100 મી દોડ ,યોગાસન અને ગોળાફેંકમાં ભાગ લીધો હતો. આ રમતમાં ભાગ લેવાની પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન સંગીતાબેને આપ્યું હતું. કોચ તરીકે જયસિંહભાઈ એ સેવા બજાવી હતી. સૌ તાલીમાર્થી બહેનોએ સંતોષકારક દેખાવ કર્યો હતો. રાજકોટ મુકામે સૌ બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

15-03-2022
30. ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ ભાગ-3


ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાના રમતોત્સવ તા. 14-3-22 થી તા. 15-3-22 દરમિયાનમાં રાજકોટ મુકામે યોજાયેલ હતો. તેમાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. આ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ખો-ખો સ્પર્ધામાં 12 તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો . આ ઉપરાંત 100 મી દોડ ,યોગાસન અને ગોળાફેંકમાં ભાગ લીધો હતો. આ રમતમાં ભાગ લેવાની પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન સંગીતાબેને આપ્યું હતું. કોચ તરીકે જયસિંહભાઈ એ સેવા બજાવી હતી. સૌ તાલીમાર્થી બહેનોએ સંતોષકારક દેખાવ કર્યો હતો. રાજકોટ મુકામે સૌ બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

14-03-2022
30. ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ ભાગ-1


ડી.એલ.એડ કોલેજોનો રાજ્ય કક્ષાના રમતોત્સવ તા. 14-3-22 થી તા. 15-3-22 દરમિયાનમાં રાજકોટ મુકામે યોજાયેલ હતો. તેમાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. આ રાજ્ય કક્ષાના રમતોત્સવમાં ખો-ખો સ્પર્ધામાં 12 તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો . આ ઉપરાંત 100 મી દોડ ,યોગાસન અને ગોળાફેંકમાં ભાગ લીધો હતો. આ રમતમાં ભાગ લેવાની પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન સંગીતાબેને આપ્યું હતું. કોચ તરીકે જયસિંહભાઈ એ સેવા બજાવી હતી. સૌ તાલીમાર્થી બહેનોએ સંતોષકારક દેખાવ કર્યો હતો. રાજકોટ મુકામે સૌ બહેનોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.

08-03-2022
29. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી ભાગ-3


ગ્રામ સેવા સમાજ ,વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ સપ્તાહની શરૂઆત તા.1-3-22 શિવરાત્રિના દિવસથી કરવામાં આવી. સંસ્થાના આચાર્યશ્રી સંગીતાબેને મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો અને આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલાદિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે.આ દિનની શરૂઆત શા માટે 8મી માર્ચે કરવામાં આવી તેની માહિતી સૌને આપી આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવા શું કરી શકાય તે અંગે વાતો કરી હતી. ચીફ ગેસ્ટ તરીકે પધારેલા એવા નીઝર કોલેજના નિવૃત આચાર્યશ્રી અને એલાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડો બિમલેશબેન ટેવટીયા અને એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ ભુતપૂર્વ પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ ચાહવાલાનું પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. Guestofhonour શ્રી રાજેશભાઈ એ કેવી રીતે અને કેટલી રીત હસી શકાય તેનો ડેમો આપી દીકરીઑને પેટ પકડી ખૂબ હસાવી હતી. આ કાર્યક્રમમાં પીટીસી કોલેજ, બોરખડી અને માધ્યમિક શાળાની એમ કુલ 200 દીકરીઓ એ કાર્યક્રમનો આનંદ લીધો હતો. આ કાર્યક્રમના અંતે તમામ 200 દીકરીઓને કલબ તરફથી દૂધ અને ચોકલેટ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે કસ્તુરબા યૂથ કલબની જાહેરાત કરી ,તમામ 84 બહેનોનો પરિવારમાં સમાવેશ કરી દરેકને સર્ટિફિકેટ આપી આનંદિત કરી દીધા. આ ઉપરાંત અધ્યાપન મંદિર,બોરખડીની 84 દીકરીઓને ચાદર વિતરણનો કાર્યક્રમ એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 141 તરફથી રાખવામા આવ્યો હતો. આભાર દર્શન જયંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું. અંતમાં સૌ પરિવારના મિત્રો એ બોરખડીના પ્રાકૃતિક વાતાવરણની મઝા માણતા માણતા ફરાળી ભોજનનો આનંદ માણ્યો હતો. તા. 2-03-22 થી તા.8-3-22 સુધી સાત સ્પર્ધાનું આયોજન કરી આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી કરી હતી.

03-03-2022
29. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી ભાગ-2


ગ્રામ સેવા સમાજ ,વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ સપ્તાહની શરૂઆત તા.1-3-22 શિવરાત્રિના દિવસથી કરવામાં આવી. સંસ્થાના આચાર્યશ્રી સંગીતાબેને મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો અને આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલાદિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે.આ દિનની શરૂઆત શા માટે 8મી માર્ચે કરવામાં આવી તેની માહિતી સૌને આપી આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવા શું કરી શકાય તે અંગે વાતો કરી હતી. ચીફ ગેસ્ટ તરીકે પધારેલા એવા નીઝર કોલેજના નિવૃત આચાર્યશ્રી અને એલાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડો બિમલેશબેન ટેવટીયા અને એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ ભુતપૂર્વ પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ ચાહવાલાનું પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. Guestofhonour શ્રી રાજેશભાઈ એ કેવી રીતે અને કેટલી રીત હસી શકાય તેનો ડેમો આપી દીકરીઑને પેટ પકડી ખૂબ હસાવી હતી. આ કાર્યક્રમમાં પીટીસી કોલેજ, બોરખડી અને માધ્યમિક શાળાની એમ કુલ 200 દીકરીઓ એ કાર્યક્રમનો આનંદ લીધો હતો. આ કાર્યક્રમના અંતે તમામ 200 દીકરીઓને કલબ તરફથી દૂધ અને ચોકલેટ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે કસ્તુરબા યૂથ કલબની જાહેરાત કરી ,તમામ 84 બહેનોનો પરિવારમાં સમાવેશ કરી દરેકને સર્ટિફિકેટ આપી આનંદિત કરી દીધા. આ ઉપરાંત અધ્યાપન મંદિર,બોરખડીની 84 દીકરીઓને ચાદર વિતરણનો કાર્યક્રમ એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 141 તરફથી રાખવામા આવ્યો હતો. આભાર દર્શન જયંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું. અંતમાં સૌ પરિવારના મિત્રો એ બોરખડીના પ્રાકૃતિક વાતાવરણની મઝા માણતા માણતા ફરાળી ભોજનનો આનંદ માણ્યો હતો. તા. 2-03-22 થી તા.8-3-22 સુધી સાત સ્પર્ધાનું આયોજન કરી આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી કરી હતી.

01-03-2022
29. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી ભાગ-1


ગ્રામ સેવા સમાજ ,વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી કરવામાં આવી. આ સપ્તાહની શરૂઆત તા.1-3-22 શિવરાત્રિના દિવસથી કરવામાં આવી. સંસ્થાના આચાર્યશ્રી સંગીતાબેને મહેમાનોને સ્વાગત આવકાર આપ્યો અને આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલાદિનની ઉજવણી શા માટે કરવામાં આવે છે.આ દિનની શરૂઆત શા માટે 8મી માર્ચે કરવામાં આવી તેની માહિતી સૌને આપી આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવા શું કરી શકાય તે અંગે વાતો કરી હતી. ચીફ ગેસ્ટ તરીકે પધારેલા એવા નીઝર કોલેજના નિવૃત આચાર્યશ્રી અને એલાયન્સ કલબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડો બિમલેશબેન ટેવટીયા અને એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ ભુતપૂર્વ પ્રમુખ શ્રી ભુપેન્દ્રભાઈ ચાહવાલાનું પ્રેરણાત્મક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. Guestofhonour શ્રી રાજેશભાઈ એ કેવી રીતે અને કેટલી રીત હસી શકાય તેનો ડેમો આપી દીકરીઑને પેટ પકડી ખૂબ હસાવી હતી. આ કાર્યક્રમમાં પીટીસી કોલેજ, બોરખડી અને માધ્યમિક શાળાની એમ કુલ 200 દીકરીઓ એ કાર્યક્રમનો આનંદ લીધો હતો. આ કાર્યક્રમના અંતે તમામ 200 દીકરીઓને કલબ તરફથી દૂધ અને ચોકલેટ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે કસ્તુરબા યૂથ કલબની જાહેરાત કરી ,તમામ 84 બહેનોનો પરિવારમાં સમાવેશ કરી દરેકને સર્ટિફિકેટ આપી આનંદિત કરી દીધા. આ ઉપરાંત અધ્યાપન મંદિર,બોરખડીની 84 દીકરીઓને ચાદર વિતરણનો કાર્યક્રમ એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 141 તરફથી રાખવામા આવ્યો હતો. આભાર દર્શન જયંતિભાઈ પ્રજાપતિએ કર્યું હતું. અંતમાં સૌ પરિવારના મિત્રો એ બોરખડીના પ્રાકૃતિક વાતાવરણની મઝા માણતા માણતા ફરાળી ભોજનનો આનંદ માણ્યો હતો. તા. 2-03-22 થી તા.8-3-22 સુધી સાત સ્પર્ધાનું આયોજન કરી આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી કરી હતી.

30-01-2022
28. ગાંધી નિર્વાણ દિનની ઊજવણી


આજ રોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે અમારી કૉલેજમાં ઊજવણી કરવામાં આવી. આ પ્રસંગે લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટના પ્રમુખશ્રી રમેશભાઈ, સેક્રેટરી બાબુભાઈ, નાનજીભાઈ, અરવિંદભાઈ અને ખુરશીના દાતાશ્રી રમેશભાઈ પટેલ એ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત ગાંધીગીતથી કરવામા આવી.આ પ્રસંગે સૌનું સ્વાગત આચાર્ય સંગીતાબેન એ કર્યું હતું. આ સાથે સંગીતાબેને ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કર્યા હતા. તાલીમાર્થી બહેનોએ ગાંધીજીના પ્રસંગો રજૂ કર્યાં હતાં. મહેમાનશ્રી ઓએ ગાંધીજીનાં જીવનની પ્રેરણાદાયક વાતો કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન fy નાં તાલીમાર્થી આરતી પટેલે કર્યું હતું . આવનાર મહેમાનશ્રીઓ એ પણ ગાંધી નિર્વાણ દિન નિમત્તે યોજેલ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેવાની તક આપી તે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો . આજ રોજ લાયન્સ કલબ સુરત સરદાર માર્કેટ નાં સહયોગ થી દાતાશ્રી રમેશભાઈ તરફથી આરામદાયક 25 ખૂરશી દાનમાં મળી હતી. અંતમાં લાયન્સ કલબ સુરતનો આભાર અઘ્યાપક ડો પ્રતીક વ્યાસે માન્યો હતો .

30-01-2022
28. ગાંધી નિર્વાણ દિનની ઊજવણી ભાગ-2


આજ રોજ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે અમારી કૉલેજમાં ઊજવણી કરવામાં આવી. આ પ્રસંગે લાયન્સ ક્લબ સુરત સરદાર માર્કેટના પ્રમુખશ્રી રમેશભાઈ, સેક્રેટરી બાબુભાઈ, નાનજીભાઈ, અરવિંદભાઈ અને ખુરશીના દાતાશ્રી રમેશભાઈ પટેલ એ હાજરી આપી હતી. આ કાર્યક્રમની શરૂઆત ગાંધીગીતથી કરવામા આવી.આ પ્રસંગે સૌનું સ્વાગત આચાર્ય સંગીતાબેન એ કર્યું હતું. આ સાથે સંગીતાબેને ગાંધીજીના જીવનના પ્રસંગોને યાદ કર્યા હતા. તાલીમાર્થી બહેનોએ ગાંધીજીના પ્રસંગો રજૂ કર્યાં હતાં. મહેમાનશ્રી ઓએ ગાંધીજીનાં જીવનની પ્રેરણાદાયક વાતો કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન fy નાં તાલીમાર્થી આરતી પટેલે કર્યું હતું . આવનાર મહેમાનશ્રીઓ એ પણ ગાંધી નિર્વાણ દિન નિમત્તે યોજેલ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેવાની તક આપી તે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો . આજ રોજ લાયન્સ કલબ સુરત સરદાર માર્કેટ નાં સહયોગ થી દાતાશ્રી રમેશભાઈ તરફથી આરામદાયક 25 ખૂરશી દાનમાં મળી હતી. અંતમાં લાયન્સ કલબ સુરતનો આભાર અઘ્યાપક ડો પ્રતીક વ્યાસે માન્યો હતો .

26-01-2022
27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-1


આજ રોજ તા. 26.01.22 પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ સવારે 5.0 વાગે વૈતાલિક કાઢવામાં આવી. જેમાં બહેનોએ પ્રભાતિયા ગાતા ગાતા સૌને જાગૃત કર્યા. કેમ્પસ અને આશ્રમશાળા સુધી વૈતાલિક રેલી કાઢવામાં આવી. જેમાં પ્રથમ વર્ષ અને બીજા વર્ષના બહેનો જોડાયા હતા. ત્યારબાદ કેમ્પસ સફાઈ કરી. કોરોના ગાઇડલાઇન મુજબ રેલી કાઢવાની નહોતી. સવારના વાતવરણને પ્રફુલિત કરવા માટે દેશ ભક્તિ ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. ત્યારબાદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાયા. બાદમાં અધ્યાપન મંદિર કેમ્પસમાં સૌ ગ્રામજનો, સરપંચ બહેનશ્રી , ગામના વડીલો મિત્રો, શિક્ષકો ,વિદ્યાર્થિનીઓ તેમજ તાલીમાર્થી બહેનો સૌ ધ્વજ વંદન વિધિમાં જોડાયા. ધ્વજ વંદન વિધિ સારી રીતે પૂરી કર્યા બાદ સૌ ગ્રામ જનોએ ચા નાસ્તો કરી છૂટા પડ્યા. આજ રોજ બપોર પછી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળના દિવસે દરેક સ્પર્ધાની સમજ આપી નામ નોંધણી કરવામાં આવી. રીંગણશોધ, ત્રિપગી દોડ, કોથળા કૂદ, સિક્કા શોધ,ડબ્બા ફોડ , સંગીત ખુરશી, ક્રીકેટની ટિમ બનાવી 5-5 ઓવરની મેચ રાખી હતી. સાંજે 5.0 થી 6.30 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 કૃતિ દેશભક્તિ આધારિત રજૂ કરવામાં આવી હતી. વચ્ચે વચ્ચે દેશભક્તિ ગીતો વ્યક્તિગત ગાયા હતા. આ કાર્યક્રમનો આનંદ ઉ.બુ વિદ્યાલય બોરખડી અને આશ્રમશાળાના બાળકો એ માણ્યો હતો.

26-01-2022
27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-2


આજ રોજ તા. 26.01.22 પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ સવારે 5.0 વાગે વૈતાલિક કાઢવામાં આવી. જેમાં બહેનોએ પ્રભાતિયા ગાતા ગાતા સૌને જાગૃત કર્યા. કેમ્પસ અને આશ્રમશાળા સુધી વૈતાલિક રેલી કાઢવામાં આવી. જેમાં પ્રથમ વર્ષ અને બીજા વર્ષના બહેનો જોડાયા હતા. ત્યારબાદ કેમ્પસ સફાઈ કરી. કોરોના ગાઇડલાઇન મુજબ રેલી કાઢવાની નહોતી. સવારના વાતવરણને પ્રફુલિત કરવા માટે દેશ ભક્તિ ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. ત્યારબાદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાયા. બાદમાં અધ્યાપન મંદિર કેમ્પસમાં સૌ ગ્રામજનો, સરપંચ બહેનશ્રી , ગામના વડીલો મિત્રો, શિક્ષકો ,વિદ્યાર્થિનીઓ તેમજ તાલીમાર્થી બહેનો સૌ ધ્વજ વંદન વિધિમાં જોડાયા. ધ્વજ વંદન વિધિ સારી રીતે પૂરી કર્યા બાદ સૌ ગ્રામ જનોએ ચા નાસ્તો કરી છૂટા પડ્યા. આજ રોજ બપોર પછી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળના દિવસે દરેક સ્પર્ધાની સમજ આપી નામ નોંધણી કરવામાં આવી. રીંગણશોધ, ત્રિપગી દોડ, કોથળા કૂદ, સિક્કા શોધ,ડબ્બા ફોડ , સંગીત ખુરશી, ક્રીકેટની ટિમ બનાવી 5-5 ઓવરની મેચ રાખી હતી. સાંજે 5.0 થી 6.30 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 કૃતિ દેશભક્તિ આધારિત રજૂ કરવામાં આવી હતી. વચ્ચે વચ્ચે દેશભક્તિ ગીતો વ્યક્તિગત ગાયા હતા. આ કાર્યક્રમનો આનંદ ઉ.બુ વિદ્યાલય બોરખડી અને આશ્રમશાળાના બાળકો એ માણ્યો હતો.

26-01-2022
27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-3


આજ રોજ તા. 26.01.22 પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ સવારે 5.0 વાગે વૈતાલિક કાઢવામાં આવી. જેમાં બહેનોએ પ્રભાતિયા ગાતા ગાતા સૌને જાગૃત કર્યા. કેમ્પસ અને આશ્રમશાળા સુધી વૈતાલિક રેલી કાઢવામાં આવી. જેમાં પ્રથમ વર્ષ અને બીજા વર્ષના બહેનો જોડાયા હતા. ત્યારબાદ કેમ્પસ સફાઈ કરી. કોરોના ગાઇડલાઇન મુજબ રેલી કાઢવાની નહોતી. સવારના વાતવરણને પ્રફુલિત કરવા માટે દેશ ભક્તિ ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. ત્યારબાદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાયા. બાદમાં અધ્યાપન મંદિર કેમ્પસમાં સૌ ગ્રામજનો, સરપંચ બહેનશ્રી , ગામના વડીલો મિત્રો, શિક્ષકો ,વિદ્યાર્થિનીઓ તેમજ તાલીમાર્થી બહેનો સૌ ધ્વજ વંદન વિધિમાં જોડાયા. ધ્વજ વંદન વિધિ સારી રીતે પૂરી કર્યા બાદ સૌ ગ્રામ જનોએ ચા નાસ્તો કરી છૂટા પડ્યા. આજ રોજ બપોર પછી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળના દિવસે દરેક સ્પર્ધાની સમજ આપી નામ નોંધણી કરવામાં આવી. રીંગણશોધ, ત્રિપગી દોડ, કોથળા કૂદ, સિક્કા શોધ,ડબ્બા ફોડ , સંગીત ખુરશી, ક્રીકેટની ટિમ બનાવી 5-5 ઓવરની મેચ રાખી હતી. સાંજે 5.0 થી 6.30 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 કૃતિ દેશભક્તિ આધારિત રજૂ કરવામાં આવી હતી. વચ્ચે વચ્ચે દેશભક્તિ ગીતો વ્યક્તિગત ગાયા હતા. આ કાર્યક્રમનો આનંદ ઉ.બુ વિદ્યાલય બોરખડી અને આશ્રમશાળાના બાળકો એ માણ્યો હતો.

26-01-2022
27. પ્રજાસત્તાક દિનની ઊજવણી ભાગ-4


આજ રોજ તા. 26.01.22 પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ સવારે 5.0 વાગે વૈતાલિક કાઢવામાં આવી. જેમાં બહેનોએ પ્રભાતિયા ગાતા ગાતા સૌને જાગૃત કર્યા. કેમ્પસ અને આશ્રમશાળા સુધી વૈતાલિક રેલી કાઢવામાં આવી. જેમાં પ્રથમ વર્ષ અને બીજા વર્ષના બહેનો જોડાયા હતા. ત્યારબાદ કેમ્પસ સફાઈ કરી. કોરોના ગાઇડલાઇન મુજબ રેલી કાઢવાની નહોતી. સવારના વાતવરણને પ્રફુલિત કરવા માટે દેશ ભક્તિ ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. ત્યારબાદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાયા. બાદમાં અધ્યાપન મંદિર કેમ્પસમાં સૌ ગ્રામજનો, સરપંચ બહેનશ્રી , ગામના વડીલો મિત્રો, શિક્ષકો ,વિદ્યાર્થિનીઓ તેમજ તાલીમાર્થી બહેનો સૌ ધ્વજ વંદન વિધિમાં જોડાયા. ધ્વજ વંદન વિધિ સારી રીતે પૂરી કર્યા બાદ સૌ ગ્રામ જનોએ ચા નાસ્તો કરી છૂટા પડ્યા. આજ રોજ બપોર પછી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આગળના દિવસે દરેક સ્પર્ધાની સમજ આપી નામ નોંધણી કરવામાં આવી. રીંગણશોધ, ત્રિપગી દોડ, કોથળા કૂદ, સિક્કા શોધ,ડબ્બા ફોડ , સંગીત ખુરશી, ક્રીકેટની ટિમ બનાવી 5-5 ઓવરની મેચ રાખી હતી. સાંજે 5.0 થી 6.30 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 કૃતિ દેશભક્તિ આધારિત રજૂ કરવામાં આવી હતી. વચ્ચે વચ્ચે દેશભક્તિ ગીતો વ્યક્તિગત ગાયા હતા. આ કાર્યક્રમનો આનંદ ઉ.બુ વિદ્યાલય બોરખડી અને આશ્રમશાળાના બાળકો એ માણ્યો હતો.

24-01-2022
26. કસ્તુરબા અધ્યાપન મંદિર બૉરખડી માં રાષ્ટ્રીય દિકરી દિનની ઉજવણી ભાગ-2


કસ્તુરબા અધ્યાપન મંદિર બૉરખડીમાં રાષ્ટ્રીય દિકરી દિનની ઉજવણી કરવામાં આવી હતી.. તેમાં ગામનાં સરપંચ બહેન, જિલ્લા વિવિધલક્ષી મહિલા કેન્દ્ર, તાપીના કો ઓર્ડીનેટરશ્રી મીનાબેન પરમાર હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમા અધ્યાપન મંદીર અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયનાં આચાર્યશ્રી , શિક્ષક મિત્રો, તાલીમાર્થી બહેનો અને ધોરણ 10 થી 12ની બહેનોએ ભાગ લીધો હતો. મીનાબહેન પરમારે ખુબજ સારી માહિતી બહેનો ને આપી હતી . કાયદાકીય રક્ષણની વાત કરી બહેનોને વાકેફ કર્યાં હતા. બહેનો એ શું શું કાળજી રાખવી જોઈએ. તેની વાત ઉદાહરણ સહિત સમજાવી હતી. સરપંચ બહેને પણ આ કામગીરી ને વખાણી હતી.

24-01-2022
કસ્તુરબા અધ્યાપન મંદિર બૉરખડી માં રાષ્ટ્રીય દિકરી દિનની ઉજવણી ભાગ-1


કસ્તુરબા અધ્યાપન મંદિર બૉરખડીમાં તા. 24.1.22 ના રોજ રાષ્ટ્રીય દિકરી દિનની ઉજવણી કરવામાં આવી હતી.. તેમાં ગામનાં સરપંચ બહેન, જિલ્લા વિવિધલક્ષી મહિલા કેન્દ્ર, તાપીના કો ઓર્ડીનેટરશ્રી મીનાબેન પરમાર હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમા અધ્યાપન મંદીર અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયનાં આચાર્યશ્રી , શિક્ષક મિત્રો, તાલીમાર્થી બહેનો અને ધોરણ 10 થી 12ની બહેનોએ ભાગ લીધો હતો. મીનાબહેન પરમારે ખુબજ સારી માહિતી બહેનો ને આપી હતી . કાયદાકીય રક્ષણની વાત કરી બહેનોને વાકેફ કર્યાં હતા. બહેનો એ શું શું કાળજી રાખવી જોઈએ. તેની વાત ઉદાહરણ સહિત સમજાવી હતી. સરપંચ બહેને પણ આ કામગીરી ને વખાણી હતી.

23-01-2022
25. એલાયન્સ કલબ દ્વારા ડ્રેસ વિતરણ કાર્યક્રમ


એલાયન્સ કલબ સુરત 141 ,સેવન સ્ટાર સુરત તરફથી અમારી કોલેજમાં વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે અંતર્ગત આજ રોજ તા. 23.01.22ના રોજ પ્રથમ વર્ષના 40 બહેનોને કોલેજમાં પહેરી શકે તે હેતુથી બબ્બે બબ્બે ડ્રેસ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જયંતિભાઈ પ્રજાપતિ એ કર્યું હતું. બીરેનભાઇ દ્વારા કાપડનું આયોજન થયું હતું, અને સિલાઈનો ખર્ચ કલબના મિત્રો એ એકત્રિત કરી આપ્યો હતો. પ્રથમ વર્ષના બહેનોએ એલાયન્સ કલબ સુરત 141 ,સેવન સ્ટાર સુરત ને આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રથમ વર્ષની તાલીમાર્થી આરતી પટેલે કર્યું હતું.

11-01-2022
24. વિજ્ઞાન મેળો


આજ રોજ તા. 11.1.22 થી બે દિવસ સ્થાનિક કક્ષાએ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં બીજા વર્ષના તાલીમાર્થી બહેનોને પ્રયોગો વહેંચવામાં આવ્યા હતા. બે તાલીમાર્થી વચ્ચે એક પ્રયોગ આપવામાં આવ્યો હતો. ધોરણ 6 થી ધોરણ 8 ના કુલ 20 પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા. તાલીમાર્થી બહેનો ઇન્ટર્નશિપમાં જાય ત્યારે તેઓ શાળામાં પ્રયોગો કરાવી શકે એ હેતુથી વિજ્ઞાન મેળાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ પ્રયોગો પ્રથમ વર્ષના તાલીમાર્થીએ જાતે કરી અવલોકન નોધ્યું હતું. બહેનોમાં પ્રાયોગિક કૌશલ્ય ખીલવવા માટેની આ ઉપયોગી પ્રવૃત્તિ છે.

07-01-2022
23. સેવા સેતુ કાર્યક્રમ


આજ રોજ તા. 7.01.22 ના રોજ અમારી કોલેજના કેમ્પસમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું હતું. તાલીમાર્થી બહેનો પૂર્વ તૈયારીમાં મદદરુપ થાય હતા. આ કાર્યક્ર્મમાં મામલતદારશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માયપુરના ડો નાયક સાહેબ, સરપંચ બહેન અને અન્ય અધિકારીશ્રીઑ પધાર્યા હતા. આ કાર્યક્ર્મ મારફતે ગામડાના લોકોના ઘણા બધા કાર્યો અહી જ થઈ ગયા હતા. અમારા તાલીમાર્થી બહેનોને આધારકાર્ડમાં સુધારા વધારા કરવાના હતા તે કામ પણ અહી સરળતાથી થઈ ગયુ હતું. વિક્સિનેશનનો કાર્યક્રમ પણ સાથે રાખેલો હતો. ઘણી બધી યોજનાઓના ફોર્મ ભરી સહાય કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ખરેખર ગામડાના માણસો માટે અત્યંત ઉપયોગી જણાયો હતો.

23-12-2021
22. દાર્શનિક પાઠ


દર વર્ષની જેમ તાલીમાર્થી બહેનો શિક્ષકોના દાર્શનિક પાઠ જુએ અને સમજે તે હેતુથી તા. 23. 12. 21 થી દાર્શનિક પાઠનું આયોજન કર્યું હતું. દરેક વિષયના આધ્યાપકશ્રીઓએ પોતાના વિષયનો એક એકમ પસંદ કરી બાળકો સમક્ષ પાઠ આપ્યા હતાં . પાઠને અંતે ચર્ચાઓ પણ થઈ હતી.

01-12-2021
21. વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી


પહેલી ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિન. આ દિનની ઉજવણી નિમિત્તે અમારી કોલેજમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15 તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો. એઇડ્સ કેવી રીતે થાય છે તેના કારણો તેમજ સાવચેતીના પગલાની શાબ્દિક સમાજ સંસ્થાના અધ્યાપક ડો પ્રતિકભાઈ વ્યાસે આપી હતી. આ દિવસ નિમિત્તે સુરત વરાછા વિસ્તારમાં આવેલી “મિત્ર હોસ્પિટલ”ના ડો મહેશભાઇ નાવડીયા અને તેમની મેડિકલની ટીમને આમત્રિત કરવામાં આવી હતી. તેમણે સૌએ તાલીમાર્થી બહેનોને ભોજન કરાવ્યુ હતું , સાંજે પ્રાર્થનામાં ડો મહેશભાઇ નાવડીયા અને તેમની ટીમના સભ્યોએ તાલીમાર્થી બહેનોને ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પડ્યું હતું. ડો નાવડીયા સરે બ્લેક બોર્ડ પર એઇડ્સ કેવી રીતે થાય છે તેની ચિત્રાત્મક માહિતી આપી હતી. તાલીમાર્થી બહેનોના પ્રશ્નના જવાબમાં ડોક્ટરે કોરોના વિશે પણ ગહન માહિતી આપી હતી. આમ ખૂબ સારી રીતે વિશ્વ એઇડ્સ દિનની ઉજવણી કોલેજમાં કરવામાં આવી હતી.

28-11-2021
20. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિ ગીતની શિબિર


વેડછી પ્રદેશ સેવાસમિતિ, વાલોડ આયોજિત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગ રૂપે ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં તાં.27,28 નવેમ્બરના રોજ દેશભક્તિ ગીતોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ છ શાળાઓ અને એક અધ્યાપન મંદિર, બોરખડીની 92 તાલીમાર્થીઓ સાથે કુલ 150 વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતાં . બે દિવસના આ કાર્ય શિબિરમાં તજજ્ઞ દ્વારા 16 ગીતો શીખવવામાં આવ્યાં. ઉદ્ઘાટન કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અધ્યાપન મંદિર,બોરખડીના ભુતપૂર્વ આચાર્ય શ્રી કોકિલાબેને કર્યું. અધ્યક્ષનું સ્થાન વેડછી પ્રદેશ સેવા સમિતિના પ્રમુખ શ્રી તરલાબેને શોભાવ્યું હતું. શ્રી કોકિલાબેને દેશભક્તિ ગીતો હોઠથી ન ગવાતા દિલથી અને જુસ્સાથી ગવાવા જોઈએ.તેમણે બે ત્રણ દેશભક્તિ ગીત ગાઈને તે બાબત સમજાવી હતી. શ્રી તરલાબેને આપણને આઝાદી કઈ રીતે મળી એના ઇતિહાસની ઝાંખી કરાવી હતી.ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન બીજા વર્ષની તાલીમાર્થી ચુડાસમા દર્શના એ કર્યું હતું. આભારદર્શન આશ્રમશાળા, બોરખડીનાં આચાર્યશ્રી સુધીરભાઈ એ કર્યુ હતું. પુર્ણાહૂતી કાર્યક્રમમાં વેડછી પ્રદેશ સેવા સમિતિના ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તરલાબેન શાહ, કોકિલાબેન વ્યાસ અને તમામ શાળાઓના આચાર્યશ્રી હાજર રહ્યાં હતાં. પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં આચાર્યશ્રી સંગીતાબેન દેસાઈ એ સૌને આવકાર્યા હતાં. બાળકોએ શીખેલા પાંચ ગીતો રજૂ કર્યા હતા.અધ્યાપન મંદિરની તાલીમાર્થીબહેનોએ શીખેલા ગીતની અભિનય દ્વારા રજૂઆત કરી હતી. ભીખુભાઈ એ નઈ તાલીમ વિશે સમજ આપી હતી અને બાળકોને સરસ ગીતો ગયા બદલ અભીનંદન આપ્યાં હતાં. બે દિવસના શિબીરનાં સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનીષભાઈ મિસ્ત્રી એ કર્યું હતું. પૂર્ણાહૂતિ કાર્યક્રમનું સંચાલન પ્રથમ વર્ષની તાલીમાર્થી આરતી પટેલે કર્યું હતું. કાર્યક્રમને અંતે સંસ્થાના અધ્યાપક ડો પ્રતીકભાઇ વ્યાસે સૌનો આભાર અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો .

28-11-2021
20. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિ ગીતની શિબિર ભાગ-2


વેડછી પ્રદેશ સેવાસમિતિ, વાલોડ આયોજિત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગ રૂપે ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં તાં.27,28 નવેમ્બરના રોજ દેશભક્તિ ગીતોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ છ શાળાઓ અને એક અધ્યાપન મંદિર, બોરખડીની 92 તાલીમાર્થીઓ સાથે કુલ 150 વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતાં . બે દિવસના આ કાર્ય શિબિરમાં તજજ્ઞ દ્વારા 16 ગીતો શીખવવામાં આવ્યાં. ઉદ્ઘાટન કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અધ્યાપન મંદિર,બોરખડીના ભુતપૂર્વ આચાર્ય શ્રી કોકિલાબેને કર્યું. અધ્યક્ષનું સ્થાન વેડછી પ્રદેશ સેવા સમિતિના પ્રમુખ શ્રી તરલાબેને શોભાવ્યું હતું. શ્રી કોકિલાબેને દેશભક્તિ ગીતો હોઠથી ન ગવાતા દિલથી અને જુસ્સાથી ગવાવા જોઈએ.તેમણે બે ત્રણ દેશભક્તિ ગીત ગાઈને તે બાબત સમજાવી હતી. શ્રી તરલાબેને આપણને આઝાદી કઈ રીતે મળી એના ઇતિહાસની ઝાંખી કરાવી હતી.ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન બીજા વર્ષની તાલીમાર્થી ચુડાસમા દર્શના એ કર્યું હતું. આભારદર્શન આશ્રમશાળા, બોરખડીનાં આચાર્યશ્રી સુધીરભાઈ એ કર્યુ હતું. પુર્ણાહૂતી કાર્યક્રમમાં વેડછી પ્રદેશ સેવા સમિતિના ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તરલાબેન શાહ, કોકિલાબેન વ્યાસ અને તમામ શાળાઓના આચાર્યશ્રી હાજર રહ્યાં હતાં. પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં આચાર્યશ્રી સંગીતાબેન દેસાઈ એ સૌને આવકાર્યા હતાં. બાળકોએ શીખેલા પાંચ ગીતો રજૂ કર્યા હતા.અધ્યાપન મંદિરની તાલીમાર્થીબહેનોએ શીખેલા ગીતની અભિનય દ્વારા રજૂઆત કરી હતી. ભીખુભાઈ એ નઈ તાલીમ વિશે સમજ આપી હતી અને બાળકોને સરસ ગીતો ગયા બદલ અભીનંદન આપ્યાં હતાં. બે દિવસના શિબીરનાં સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનીષભાઈ મિસ્ત્રી એ કર્યું હતું. પૂર્ણાહૂતિ કાર્યક્રમનું સંચાલન પ્રથમ વર્ષની તાલીમાર્થી આરતી પટેલે કર્યું હતું. કાર્યક્રમને અંતે સંસ્થાના અધ્યાપક ડો પ્રતીકભાઇ વ્યાસે સૌનો આભાર અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો .

28-11-2021
20. કસ્તુરબા અધ્યાપન મંદિર બોરખડીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશભક્તિ ગીતની શિબિર ભાગ-3


વેડછી પ્રદેશ સેવાસમિતિ, વાલોડ આયોજિત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનાં ભાગ રૂપે ગ્રામ સેવા સમાજ વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં તાં.27,28 નવેમ્બરના રોજ દેશભક્તિ ગીતોની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ છ શાળાઓ અને એક અધ્યાપન મંદિર, બોરખડીની 92 તાલીમાર્થીઓ સાથે કુલ 150 વિદ્યાર્થીઓ આ શિબિરમાં જોડાયા હતાં . બે દિવસના આ કાર્ય શિબિરમાં તજજ્ઞ દ્વારા 16 ગીતો શીખવવામાં આવ્યાં. ઉદ્ઘાટન કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અધ્યાપન મંદિર,બોરખડીના ભુતપૂર્વ આચાર્ય શ્રી કોકિલાબેને કર્યું. અધ્યક્ષનું સ્થાન વેડછી પ્રદેશ સેવા સમિતિના પ્રમુખ શ્રી તરલાબેને શોભાવ્યું હતું. શ્રી કોકિલાબેને દેશભક્તિ ગીતો હોઠથી ન ગવાતા દિલથી અને જુસ્સાથી ગવાવા જોઈએ.તેમણે બે ત્રણ દેશભક્તિ ગીત ગાઈને તે બાબત સમજાવી હતી. શ્રી તરલાબેને આપણને આઝાદી કઈ રીતે મળી એના ઇતિહાસની ઝાંખી કરાવી હતી.ઉદ્ઘાટન કાર્યક્રમનું સંચાલન બીજા વર્ષની તાલીમાર્થી ચુડાસમા દર્શના એ કર્યું હતું. આભારદર્શન આશ્રમશાળા, બોરખડીનાં આચાર્યશ્રી સુધીરભાઈ એ કર્યુ હતું. પુર્ણાહૂતી કાર્યક્રમમાં વેડછી પ્રદેશ સેવા સમિતિના ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તરલાબેન શાહ, કોકિલાબેન વ્યાસ અને તમામ શાળાઓના આચાર્યશ્રી હાજર રહ્યાં હતાં. પૂર્ણાહૂતિ કાર્યક્રમમાં આચાર્યશ્રી સંગીતાબેન દેસાઈ એ સૌને આવકાર્યા હતાં. બાળકોએ શીખેલા પાંચ ગીતો રજૂ કર્યા હતા.અધ્યાપન મંદિરની તાલીમાર્થીબહેનોએ શીખેલા ગીતની અભિનય દ્વારા રજૂઆત કરી હતી. ભીખુભાઈ એ નઈ તાલીમ વિશે સમજ આપી હતી અને બાળકોને સરસ ગીતો ગયા બદલ અભીનંદન આપ્યાં હતાં. બે દિવસના શિબીરનાં સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનીષભાઈ મિસ્ત્રી એ કર્યું હતું. પૂર્ણાહૂતિ કાર્યક્રમનું સંચાલન પ્રથમ વર્ષની તાલીમાર્થી આરતી પટેલે કર્યું હતું. કાર્યક્રમને અંતે સંસ્થાના અધ્યાપક ડો પ્રતીકભાઇ વ્યાસે સૌનો આભાર અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો .

26-11-2021
19. સદભાવના દિવસની ઊજવણી


તા. 26-11-21 ના રોજ અમારી ડી.એલ.એડ કોલેજમાં સદભાવના દિવસની ઉજવણી કરવામાં આવી હતી .તે અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ જેવી કે ચિત્ર ,નિબંધ પોસ્ટર વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક સ્પર્ધાના વિજેતાઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. તાલીમાર્થી બહેનોએ અને સૌ અધ્યાપક મિત્રો એ પ્રતિજ્ઞા લીધી હતી. અંતમાં રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડ્યા હતાં.

25-10-2021
18. માઇક્રો પાઠનો અહેવાલ


તાલીમાર્થી બહેનોમાં પાઠ આપવામાં આત્મ વિશ્વાસ આવે તે હેતુથી દર વર્ષે શરૂઆતમાં માઇક્રો પાઠનું આયોજન થતું હોય છે તે પ્રમાણે તા. 25.10.21 થી અમારી કોલેજમાં માઇક્રોપાઠનું આયોજન કર્યું હતું. ચાર કૌશલ્યનાં પાઠનું માર્ગદર્શન આપવામાં આવ્યું. માર્ગદર્શન પ્રમાણે સૌ બહેનોએ તૈયારી કરી પાઠ આપ્યા . છ મિનિટના પાઠમાં એક એક મિનિટનું મહત્વ શું છે ? તેની તેઓને ખબર પડી. ચાર દિવસ પાઠ ગોઠવ્યા હતાં. બપોર પછી ચાર દિવસ સુધી સળંગ પાઠનું આયોજન કર્યું હતું.

09-10-2021
16. ગાંધી જયંતીની ઊજવણી અંતર્ગત ખાદી ફેરી


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક પ્રવૃત્તિમાં ખાદીફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે અમે તાલીમાર્થી બહેનોની ચાર અલગ અલગ ટુકડી પાડવામાં આવી . દરેકને અલગ અલગ ગામ ફાળવવામાં આવ્યાં, જેવા કે બોરખડી, માયપુર, કહોલી, લોટરવા. ઇન્ટર્નશીપની સાથે સાથે 1.30 કલાકની આ પ્રવૃત્તિ જોડી દીધી હતી. બહેનોએ ખૂબ ઉત્સાહથી આ કાર્ય કર્યું. ખાદી ફેરીમાં તૈયાર બુશર્ટ, આસનિયા, ટુવાલ, નેપકિન, હાથ રૂમાલ ,નહાવાનો સાબુ, કપડાં ધોવાનો સાબુ વગેરે લઈ ગયા હતાં. એક અઠવાડિયાના અંતે 14,000 રૂપિયા જેવી મોટી રકમનું વેચાણ કાર્ય કર્યું હતું. બહેનોએ પણ સાબુ ખરીદ્યા, પોતાના ભાઈ તથા પપ્પા માટે શર્ટ ખરીદ્યા. ખાદીનો પ્રચાર પ્રસાર કેવી રીતે વધુ થાય તે અંગે દરેક ટુકડી વિચારી આયોજન કરતી હતી. એક અલગ અનુભવ તાલીમાર્થીને મળ્યો એવું ચોક્કસ કહી શકાય.

09-10-2021
17. કિશોરીઓને જાતિય રોગો અંગેની માહિતી માટેનો સેમિનાર


આજ રોજ તા. 9.10.21ના રોજ લાઇન્સ કલબ, સુરત તરફથી અમારી ડી.એલ.એડ કોલેજ, બોરખડીમાં કિશોરીઓને જાતિય રોગો અંગેની માહિતી માટેનો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં આવેલા મહેમાનોને સંસ્થા પરિચય અને સ્વાગત પ્રવચન આચાર્ય સંગીતાબેને કર્યું હતું. લાઇન્સ કલબના અન્ય હોદેદારો હાજર રહ્યા હતા. પ્રસ્તાવના થયા બાદ ડો ભાનુબેન અને અન્ય મહિલા મહેમાનો સિવાય તમામ મહેમાનો એ સંસ્થા દર્શન કર્યું હતું. ડો ભાનુબહેને તાલીમાર્થી સાથે 1.30 કલાક સુધી આ વિષય પર સઘન ચર્ચા વિમર્શ કરી હતી. તાલીમાર્થી બહેનોના અનુભવ પરથી કહી શકાય કે આ સેમિનાર અમારા માટે ખૂબ ઉપયોગી રહેશે. તાલીમાર્થી પોતાના અથવા પોતાના ઘરના સભ્યોને મુજવતા પ્રશ્નો રજૂ કરી ડોક્ટર પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે સાથે 500 જેટલા સેનિટેશન પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ અધ્યાપન મંદિર ,બોરખડીની 80 તાલીમાર્થી બહેનો અને કેમ્પસમાં ભણતી ધોરણ 9 થી 12 ની 120 બહેનો એમ કુલ 200 દીકરીઓ એ લાભ લીધો હતો. આભાર દર્શન અને ફરીથી આવવાનું આમંત્રણ આરતી પટેલે આપ્યું હતું. કાર્યક્રમને અંતે ભોજન લઈ બોરખડીથી સુરત જવા નીકળ્યા હતા.

02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-1


આજ રોજ તા. 2.10.21ના રોજ ગાંધી બાપુનો જન્મ દિવસ હોવાથી અમારી કોલેજમાં તેમને ગમતા કાર્યો કરી તેમણે યાદ કર્યા હતા. સવારે વહેલા કેમ્પસમાં ગાંધી ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. સવારે 8.0 કલાકે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશ્રમશાળા, બોરખડીના બાળકો, ઉ.બુ.વિદ્યાલયની બહેનો અને અધ્યાપન મંદિર, બોરખડીની તાલીમાર્થીઑ સાથે મળી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આચાર્યશ્રી સંગિતાબેન અને આશ્રમ શાળા,બોરખડીના આચાર્ય શ્રી સુધીરભાઈએ બાપુના જીવનના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ડી.એલ.એડના 10 તાલીમાર્થી બહેનોએ ગાંધીજીના જીવન પ્રસંગો ગુજરાતી અને હિન્દીમાં કહ્યા હતા. તાલીમાર્થી બહેનોએ ખૂબ સરસ અભિનય સાથેનું ગાંધી ગીત રજૂ કર્યું હતું, અને મહેશભાઇએ નાટક શીખવ્યું હતું તે પણ રજૂ કર્યું હતું. ગાંધી ગીતો ગાઈને બાપુને વંદન કર્યા હતાં. સંમેલન બાદ ભોજન લઈ સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ટુકડીઓ પાડી ગામમાં અને કેમ્પસમાં સફાઈ કરી હતી. આચાર્યશ્રી સંગીતાબેને બપોરે 1.30 થી ગાંધીજીના જીવનને લગતા 30 થી 35 પુસ્તકોનું પ્રદર્શન કરી વારાફરીથી અડધો કલાક બધાજ તાલીમાર્થી બહેનો પુસ્તક વાંચે તેવો આગ્રહ રાખ્યો હતો. ત્યારબાદ કોલેજના અધ્યાપક ડો પ્રતિકભાઈ વ્યાસે ગાંધી ક્વિઝનું આયોજન કર્યું હતું. તેમાં પણ વિવિધ રાઉન્ડ રાખવામા આવ્યા હતાં. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની મરજીથી નામ નોધાવ્યા હતાં. ખૂબ મજા આવી . આવી રીતે આખો દિવસ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં ગાંધી ... ગાંધી ... ગાંધીમય બની રહ્યો.

02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-2


આજ રોજ તા. 2.10.21ના રોજ ગાંધી બાપુનો જન્મ દિવસ હોવાથી અમારી કોલેજમાં તેમને ગમતા કાર્યો કરી તેમણે યાદ કર્યા હતા. સવારે વહેલા કેમ્પસમાં ગાંધી ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. સવારે 8.0 કલાકે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશ્રમશાળા, બોરખડીના બાળકો, ઉ.બુ.વિદ્યાલયની બહેનો અને અધ્યાપન મંદિર, બોરખડીની તાલીમાર્થીઑ સાથે મળી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આચાર્યશ્રી સંગિતાબેન અને આશ્રમ શાળા,બોરખડીના આચાર્ય શ્રી સુધીરભાઈએ બાપુના જીવનના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ડી.એલ.એડના 10 તાલીમાર્થી બહેનોએ ગાંધીજીના જીવન પ્રસંગો ગુજરાતી અને હિન્દીમાં કહ્યા હતા. તાલીમાર્થી બહેનોએ ખૂબ સરસ અભિનય સાથેનું ગાંધી ગીત રજૂ કર્યું હતું, અને મહેશભાઇએ નાટક શીખવ્યું હતું તે પણ રજૂ કર્યું હતું. ગાંધી ગીતો ગાઈને બાપુને વંદન કર્યા હતાં. સંમેલન બાદ ભોજન લઈ સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ટુકડીઓ પાડી ગામમાં અને કેમ્પસમાં સફાઈ કરી હતી. આચાર્યશ્રી સંગીતાબેને બપોરે 1.30 થી ગાંધીજીના જીવનને લગતા 30 થી 35 પુસ્તકોનું પ્રદર્શન કરી વારાફરીથી અડધો કલાક બધાજ તાલીમાર્થી બહેનો પુસ્તક વાંચે તેવો આગ્રહ રાખ્યો હતો. ત્યારબાદ કોલેજના અધ્યાપક ડો પ્રતિકભાઈ વ્યાસે ગાંધી ક્વિઝનું આયોજન કર્યું હતું. તેમાં પણ વિવિધ રાઉન્ડ રાખવામા આવ્યા હતાં. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની મરજીથી નામ નોધાવ્યા હતાં. ખૂબ મજા આવી . આવી રીતે આખો દિવસ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં ગાંધી ... ગાંધી ... ગાંધીમય બની રહ્યો.

02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-3


આજ રોજ તા. 2.10.21ના રોજ ગાંધી બાપુનો જન્મ દિવસ હોવાથી અમારી કોલેજમાં તેમને ગમતા કાર્યો કરી તેમણે યાદ કર્યા હતા. સવારે વહેલા કેમ્પસમાં ગાંધી ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. સવારે 8.0 કલાકે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશ્રમશાળા, બોરખડીના બાળકો, ઉ.બુ.વિદ્યાલયની બહેનો અને અધ્યાપન મંદિર, બોરખડીની તાલીમાર્થીઑ સાથે મળી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આચાર્યશ્રી સંગિતાબેન અને આશ્રમ શાળા,બોરખડીના આચાર્ય શ્રી સુધીરભાઈએ બાપુના જીવનના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ડી.એલ.એડના 10 તાલીમાર્થી બહેનોએ ગાંધીજીના જીવન પ્રસંગો ગુજરાતી અને હિન્દીમાં કહ્યા હતા. તાલીમાર્થી બહેનોએ ખૂબ સરસ અભિનય સાથેનું ગાંધી ગીત રજૂ કર્યું હતું, અને મહેશભાઇએ નાટક શીખવ્યું હતું તે પણ રજૂ કર્યું હતું. ગાંધી ગીતો ગાઈને બાપુને વંદન કર્યા હતાં. સંમેલન બાદ ભોજન લઈ સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ટુકડીઓ પાડી ગામમાં અને કેમ્પસમાં સફાઈ કરી હતી. આચાર્યશ્રી સંગીતાબેને બપોરે 1.30 થી ગાંધીજીના જીવનને લગતા 30 થી 35 પુસ્તકોનું પ્રદર્શન કરી વારાફરીથી અડધો કલાક બધાજ તાલીમાર્થી બહેનો પુસ્તક વાંચે તેવો આગ્રહ રાખ્યો હતો. ત્યારબાદ કોલેજના અધ્યાપક ડો પ્રતિકભાઈ વ્યાસે ગાંધી ક્વિઝનું આયોજન કર્યું હતું. તેમાં પણ વિવિધ રાઉન્ડ રાખવામા આવ્યા હતાં. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની મરજીથી નામ નોધાવ્યા હતાં. ખૂબ મજા આવી . આવી રીતે આખો દિવસ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં ગાંધી ... ગાંધી ... ગાંધીમય બની રહ્યો.

02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-4


આજ રોજ તા. 2.10.21ના રોજ ગાંધી બાપુનો જન્મ દિવસ હોવાથી અમારી કોલેજમાં તેમને ગમતા કાર્યો કરી તેમણે યાદ કર્યા હતા. સવારે વહેલા કેમ્પસમાં ગાંધી ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. સવારે 8.0 કલાકે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશ્રમશાળા, બોરખડીના બાળકો, ઉ.બુ.વિદ્યાલયની બહેનો અને અધ્યાપન મંદિર, બોરખડીની તાલીમાર્થીઑ સાથે મળી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આચાર્યશ્રી સંગિતાબેન અને આશ્રમ શાળા,બોરખડીના આચાર્ય શ્રી સુધીરભાઈએ બાપુના જીવનના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ડી.એલ.એડના 10 તાલીમાર્થી બહેનોએ ગાંધીજીના જીવન પ્રસંગો ગુજરાતી અને હિન્દીમાં કહ્યા હતા. તાલીમાર્થી બહેનોએ ખૂબ સરસ અભિનય સાથેનું ગાંધી ગીત રજૂ કર્યું હતું, અને મહેશભાઇએ નાટક શીખવ્યું હતું તે પણ રજૂ કર્યું હતું. ગાંધી ગીતો ગાઈને બાપુને વંદન કર્યા હતાં. સંમેલન બાદ ભોજન લઈ સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ટુકડીઓ પાડી ગામમાં અને કેમ્પસમાં સફાઈ કરી હતી. આચાર્યશ્રી સંગીતાબેને બપોરે 1.30 થી ગાંધીજીના જીવનને લગતા 30 થી 35 પુસ્તકોનું પ્રદર્શન કરી વારાફરીથી અડધો કલાક બધાજ તાલીમાર્થી બહેનો પુસ્તક વાંચે તેવો આગ્રહ રાખ્યો હતો. ત્યારબાદ કોલેજના અધ્યાપક ડો પ્રતિકભાઈ વ્યાસે ગાંધી ક્વિઝનું આયોજન કર્યું હતું. તેમાં પણ વિવિધ રાઉન્ડ રાખવામા આવ્યા હતાં. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની મરજીથી નામ નોધાવ્યા હતાં. ખૂબ મજા આવી . આવી રીતે આખો દિવસ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં ગાંધી ... ગાંધી ... ગાંધીમય બની રહ્યો.

02-10-2021
15. ગાંધી જયંતીની ઊજવણી ભાગ-5


આજ રોજ તા. 2.10.21ના રોજ ગાંધી બાપુનો જન્મ દિવસ હોવાથી અમારી કોલેજમાં તેમને ગમતા કાર્યો કરી તેમણે યાદ કર્યા હતા. સવારે વહેલા કેમ્પસમાં ગાંધી ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. સવારે 8.0 કલાકે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આશ્રમશાળા, બોરખડીના બાળકો, ઉ.બુ.વિદ્યાલયની બહેનો અને અધ્યાપન મંદિર, બોરખડીની તાલીમાર્થીઑ સાથે મળી આ કાર્યક્રમની ઉજવણી કરી હતી. આચાર્યશ્રી સંગિતાબેન અને આશ્રમ શાળા,બોરખડીના આચાર્ય શ્રી સુધીરભાઈએ બાપુના જીવનના પ્રેરક પ્રસંગો કહ્યા હતા. ડી.એલ.એડના 10 તાલીમાર્થી બહેનોએ ગાંધીજીના જીવન પ્રસંગો ગુજરાતી અને હિન્દીમાં કહ્યા હતા. તાલીમાર્થી બહેનોએ ખૂબ સરસ અભિનય સાથેનું ગાંધી ગીત રજૂ કર્યું હતું, અને મહેશભાઇએ નાટક શીખવ્યું હતું તે પણ રજૂ કર્યું હતું. ગાંધી ગીતો ગાઈને બાપુને વંદન કર્યા હતાં. સંમેલન બાદ ભોજન લઈ સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ટુકડીઓ પાડી ગામમાં અને કેમ્પસમાં સફાઈ કરી હતી. આચાર્યશ્રી સંગીતાબેને બપોરે 1.30 થી ગાંધીજીના જીવનને લગતા 30 થી 35 પુસ્તકોનું પ્રદર્શન કરી વારાફરીથી અડધો કલાક બધાજ તાલીમાર્થી બહેનો પુસ્તક વાંચે તેવો આગ્રહ રાખ્યો હતો. ત્યારબાદ કોલેજના અધ્યાપક ડો પ્રતિકભાઈ વ્યાસે ગાંધી ક્વિઝનું આયોજન કર્યું હતું. તેમાં પણ વિવિધ રાઉન્ડ રાખવામા આવ્યા હતાં. આ સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની મરજીથી નામ નોધાવ્યા હતાં. ખૂબ મજા આવી . આવી રીતે આખો દિવસ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં ગાંધી ... ગાંધી ... ગાંધીમય બની રહ્યો.

30-09-2021
14. નાટક અંગેની શિબિર


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત અમારી કોલેજમાંથી નાટક તૈયાર કરવાનું હતું. આ કારણોસર ડુંગરી તા.મહુવાના નિવૃત્ત શિક્ષક શ્રી મહેશભાઇ ઢીમર સાહેબનો સંપર્ક કરવામાં આવ્યો, ખૂબ સહજતાથી નાટક શીખવવા માટે સંમત થયા. તાલીમાર્થી બહેનોને નાટકના વિવિધ પાસાની સમજ આપી. પાત્ર પ્રમાણે પહેરવેશનું મહત્વ સમજાવ્યું. થીયરીકલ માહિતી આપ્યા બાદ ટુકડીમાં બેસાડી કેટલાક તાલીમાર્થી બહેનોને સંવાદ બોલાવ્યા. પાંચ મિનિટના નાટકની સ્ક્રીપ્ટ તાલીમાર્થી બહેનોએ તૈયાર કરી નાનકડું નાટક ભજયું પણ ખરું. સાથે વર્તુળાકારમાં તમામ તાલીમાર્થીને ગોઠવી મૂલ્ય શિક્ષણ મળે તે અંગેની રમતો પણ તૈયાર કરવી .આ રીતે સરસ આનંદથી બહેનોએ તમામ પ્રવૃત્તિમાં ભાગ લઈ ઘણું બધુ પામ્યા હોય તેવું લાગી રહ્યું હતું.

26-09-2021
13. એલાયન્સ કલબ સુરત 141 ,સુરત તરફથી નોટબૂક વિતરણ કાર્યક્રમ


આજ રોજ તા. 26.09.21ના રોજ અમારી કોલેજમાં એલાયન્સ કલબ સુરત 141 ,સુરત તરફથી નોટબૂક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષ અને બીજા વર્ષની તમામ તાલીમાર્થી બહેનોને એલાયન્સ કલબ સુરત 141 તરફથી 6-6 નોટબૂકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે રમત ગમતના સાધનો જેવા કે ફૂલ રેકેટ ચાર સેટ, કેરમ બોર્ડ નંગ-3 , વોલીબોલ અને ક્રિકેટના સાધનો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને અંતે અલ્પાહાર કરી સૌ મહેમાનોએ વિદાય લીધી હતી.

21-09-2021
12. કાનના ડોક્ટર દ્વારા મેડિકલ ચેકઅપ


આજ રોજ તા. 21.09.21 ના રોજ અમારી કોલેજમાં બારડોલીના પ્રખ્યાત કાનના ડોક્ટર પ્રયત્નકુમારને આમંત્રિત કર્યા હતા. અવારનવાર તાલીમાર્થીઓને કાનના પ્રશ્નો સતાવતા હતા. કાર્યક્રમની શરૂઆતમાં આચાર્યશ્રીએ સંસ્થાનો પરિચય આપી ડો પ્રયત્નકુમારનું સ્વાગત કર્યું હત. ડો પ્રયત્નકુમારને ત્યાં બારડોલી અમારે જવાનું થયું, ત્યારે પરિચય થયો .ખૂબ હોંશિયાર ડોક્ટર છે તેવી સમાજમાં છાપ છે. સૌ પ્રથમ કાનની રચના સમજાવી .કાન ,નાક ગળું કેવી રીતે સંકળાયેલા છે તે વિશે વાતો કરી. તમામ બહેનોના કાન તપાસ્યા, ટીવીમાં આપણાં કાનનો મેલ વગેરે જોઈ શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આથી દરેકને ખ્યાલ આવે. જરૂર જણાય તે બહેનોને ટીપાં અને દવા પણ આપી. ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

16-09-2021
10. પ્રવેશોત્સવ


આજ રોજ તા. 16.09.21ના રોજ અમારી કોલેજમાં પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોને આવકારવા માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ દિને અમારી કોલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વર્ષ દરમિયાન કેવી કેવી પ્રવૃત્તિ કરવી તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં અમારી કોલેજ અને વેડછી પ્રદેશ સેવા સમિતિ સંચાલિત ઉ.બુ વિદ્યાલય, કણજોડ, ગ્રામભારતી કહેર-કલમકુઇ, ગોલણના આચાર્યશ્રી અને આશ્રમશાળા, કણજોડના આચાર્યશ્રી જોડાયા હતા. આ મિટિંગ બાદ પ્રથમ વર્ષના બહેનોનો પ્રવેશોત્સવ રાખવામા આવ્યો હતો. મહેમાનશ્રી અને સમગ્ર સ્ટાફ દ્વારા બહેનોને આવકાર આપવામાં આવ્યો હતો. કુલ 53 બહેનોને કંકુ તિલક ,ટોપી પહેરાવી આવકાર્યા હતા. શિક્ષકના વ્યવસાયની ગરિમા વધે તે માટે સૌ તાલીમાર્થી બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

14-09-2021
11. ગણિત ક્વિઝ-3


આજ રોજ તા.14.9.21ના રોજ , પોતાના જન્મદિનથી ગણિતના અધ્યાપકે ડો પ્રતિકભાઈ વ્યાસે શરૂ કરેલી ગણિત ક્વિઝ-3નું આયોજન કર્યું હતું. પદ્ધતિ શાસ્ત્રના એકમ -3 અંતર્ગત પ્રથમ ક્વિઝ સ્પર્ધા રાખી હતી. સ્પર્ધકોની પસંદગી સ્પર્ધાના સમયે જ ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિથી કરી હતી. ત્રણ ટિમ બનાવી તેને ગણિત શાસ્ત્રીઓના નામ આપ્યાં હતા. જુદા જુદા ચાર રાઉન્ડ રાખવામા આવ્યાં હતા. એક વાક્યમાં જવાબ આપો, ટૂંકમાં જવાબ આપો, વિકલ્પ વાળા પ્રશ્નો અને બઝર રાઉન્ડ રાખવામા આવ્યો હતો. સ્પર્ધાને અંતે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને નોટબૂક ,પેન્સિલ,બૉલપેન અને ચોકલેટ આપવામાં આવી હતી. સમગ્ર ક્વિઝનું આયોજન બીજી ક્વિઝના સ્પર્ધકોએ કર્યું હતું પ્રશ્નપત્રથી માંડી તમામ નિયમોનું આયોજન પણ તાલીમાર્થી બહેનોએ કર્યું હતું.

10-09-2021
9. ગણપતિ મહોત્સવની ઊજવણી


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બીજાં વર્ષની તાલીમાર્થી પાડવી કીર્તિકા એ ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ કાગળના માવા અને માટીમાંથી બનાવી સૌને મંત્ર મુગ્ધ કરી દીધાં હતાં. આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો એ કીર્તિકા માં રહેલી કલાને બીરદાવી ધન્યવાદ પાઠવ્યાં. આચાર્યએ બહેનોની સમક્ષ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પાડવી કિર્તીકા એ તક ઝડપી અને સરસ મૂર્તિનું નિર્માણ કર્યું. આચાર્યશ્રીએ બહેનોને પ્રોત્સાહન મળે અને બીજા તાલીમાર્થી બહેનો પોતાનાંમાં રહેલી કલાને બહાર લાવે એ આશયથી માટીનાં રમકડાં તૈયાર કરવા કહ્યું. કાગળના માવાને કેવી રીતે તૈયાર કરવો એનુ માર્ગદર્શન આપ્યું. સૌના સહકારથી સરસ મઝાની ગણપતિની મૂર્તિની સ્થાપના થઈ. સૌ તાલીમાર્થી બહેનો સવાર સાંજ આરતી કરી પોતાની આસ્થા વ્યક્ત કરે છે. ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે કે કોરોનાંની મહામારીમાંથી આપણૅ સૌ ઝડપથી બહાર આવીએ અને વિના વિઘ્ને શિક્ષણ કાર્ય શરુ રહે.

10-09-2021
9. 1. ગણપતિ મહોત્સવની ઊજવણી ભાગ-2


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બીજાં વર્ષની તાલીમાર્થી પાડવી કીર્તિકા એ ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ કાગળના માવા અને માટીમાંથી બનાવી સૌને મંત્ર મુગ્ધ કરી દીધાં હતાં. આચાર્યશ્રી અને શિક્ષક મિત્રો એ કીર્તિકા માં રહેલી કલાને બીરદાવી ધન્યવાદ પાઠવ્યાં. આચાર્યએ બહેનોની સમક્ષ ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. પાડવી કિર્તીકા એ તક ઝડપી અને સરસ મૂર્તિનું નિર્માણ કર્યું. આચાર્યશ્રીએ બહેનોને પ્રોત્સાહન મળે અને બીજા તાલીમાર્થી બહેનો પોતાનાંમાં રહેલી કલાને બહાર લાવે એ આશયથી માટીનાં રમકડાં તૈયાર કરવા કહ્યું. કાગળના માવાને કેવી રીતે તૈયાર કરવો એનુ માર્ગદર્શન આપ્યું. સૌના સહકારથી સરસ મઝાની ગણપતિની મૂર્તિની સ્થાપના થઈ. સૌ તાલીમાર્થી બહેનો સવાર સાંજ આરતી કરી પોતાની આસ્થા વ્યક્ત કરે છે. ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે કે કોરોનાંની મહામારીમાંથી આપણૅ સૌ ઝડપથી બહાર આવીએ અને વિના વિઘ્ને શિક્ષણ કાર્ય શરુ રહે.

04-09-2021
8. શિક્ષક દિનની ઊજવણી


આ વર્ષે શિક્ષક દિન રવિવારે આવતો હોવાથી અમારી કોલેજમાં તેની ઉજવણી તા.4.09.21 શનિવારે કરવામાં આવી હતી. તેમાં 10 તાલીમાર્થી બહેનોએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. પ્રાર્થના સંમેલેનમાં આચાર્ય સહિત સર્વે અધ્યાપક મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો સર્વ પલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગોને યાદ કરવામાં આવ્યાં હતા. શિક્ષક શું કરી શકે અને ક્યાં ક્યાં પહોંચી શકે તેનું જીવંત ઉદાહરણ ડો સર્વ પલ્લી રાધાકૃષ્ણન હતા. આ ઉજવણીમાં તમામ તાલીમાર્થી બહેનો ઉત્સાહિત જણાયા હતા. જે મુદ્દાની વર્ગમાં ચર્ચા કરવાની હોય તેની તમામ તૈયારી કરી બહેનો વર્ગમાં ગયા હતા.

02-09-2021
7. ગણિત ક્વિઝ-2


આજ રોજ તા. 2.9.21ના રોજ , પોતાના જન્મદિનથી ગણિતના અદ્યાપકે ડો પ્રતિકભાઈ વ્યાસે શરૂ કરેલી ગણિત ક્વિઝ-2નું આયોજન કર્યું હતું. પદ્ધતિશાસ્ત્રના એકમ -2 અંતર્ગત પ્રથમ ક્વિઝ સ્પર્ધા રાખી હતી. સ્પર્ધકોની પસંદગી સ્પર્ધાના સમયે જ ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિથી કરી હતી. ત્રણ ટિમ બનાવી તેને ગણિત શાસ્ત્રીઓના નામ આપ્યાં હતા. જુદા જુદા ચાર રાઉન્ડ રાખવામા આવ્યાં હતા. એક વાક્યમાં જવાબ આપો, ટૂંકમાં જવાબ આપો, વિકલ્પ વાળા પ્રશ્નો અને બઝર રાઉન્ડ રાખવામા આવ્યો હતો. સ્પર્ધાને અંતે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને નોટબૂક ,પેન્સિલ,બૉલપેન અને ચોકલેટ આપવામાં આવી હતી. સમગ્ર ક્વિઝનું આયોજન પ્રથમ ક્વિઝના સ્પર્ધકોએ કર્યું હતું પ્રશ્નપત્રથી માંડી તમામ નિયમોનું આયોજન પણ તાલીમાર્થી બહેનોએ કર્યું હતું.

27-08-2021
6. ગણિત ક્વિઝ-1


આજ રોજ તા. 27.8.21ના રોજ પોતાના જન્મદિને ગણિતના અદ્યાપક ડો પ્રતિકભાઈ વ્યાસે ગણિત ક્વિઝનું આયોજન કર્યું હતું. પદ્ધતિ શાસ્ત્રના એકમ -1 અંતર્ગત પ્રથમ ક્વિઝ સ્પર્ધા રાખી હતી. સ્પર્ધકોની પસંદગી સ્પર્ધાના સમયે જ ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિથી કરી હતી. ત્રણ ટિમ બનાવી તેને ગણિત શાસ્ત્રીઓના નામ આપ્યાં હતા. જુદા જુદા ચાર રાઉન્ડ રાખવામા આવ્યાં હતા. એક વાક્યમાં જવાબ આપો, ટૂંકમાં જવાબ આપો, વિકલ્પ વાળા પ્રશ્નો અને બઝર રાઉન્ડ રાખવામા આવ્યો હતો. સ્પર્ધાને અંતે ભાગ લેનાર તમામ સ્પર્ધકોને નોટબૂક ,પેન્સિલ, બૉલપેન અને ચોકલેટ આપવામાં આવી હતી. સમગ્ર ક્વિઝનું આયોજન ડો પ્રતિકભાઇ વ્યાસે કર્યું હતું.આજ રોજ બીજી સ્પર્ધાની તારીખ પણ નક્કી કરવામાં આવી હતી.

15-08-2021
5. 15 મી ઓગસ્ટની ઉજવણી


આજ રોજ સ્વાતંત્રય દિનની ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ સવારે 5.0 વાગે વૈતાલિક કાઢવામાં આવી. જેમાં બહેનોએ પ્રભાતિયા ગાતા ગાતા સૌને જાગૃત કર્યા. કેમ્પસમાં અને આશ્રમશાળા સુધી વૈતાલિક રેલી કાઢવામાં આવી. જેમાં પ્રથમ વર્ષ અને બીજા વર્ષના બહેનો જોડાયા હતા. ત્યારબાદ કેમ્પસ સફાઈ કરી. કોરોના ગાઇડલાઇન મુજબ રેલી કાઢવાની નહોતી. સવારના વાતવરણને પ્રફુલિત કરવા માટે દેશ ભક્તિ ગીતો સ્પીકરમાં વગાડવામાં આવ્યા. ત્યારબાદ પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાયા. ત્યાં ધ્વજ વંદન વિધિ પ્રાથમિક શાળાની ભુતપૂર્વ વિદ્યાર્થિનીએ કરી હતી. બાદમાં અધ્યાપન મંદિર કેમ્પસમાં સૌ ગ્રામજનો, સરપંચ બહેનશ્રી , ગામના વડીલો મિત્રો, શિક્ષકો ,વિદ્યાર્થિનીઓ તેમજ તાલીમાર્થી બહેનો સૌ ધ્વજ વંદન વિધિમાં જોડાયા. ધ્વજ વંદન વિધિ સારી રીતે પૂરી કર્યા બાદ સૌ ગ્રામજનોએ ચા નાસ્તો કરી છૂટા પડ્યા. આ રીતે અમે સૌ એ સ્વાતંત્રય દિનની ઉજવણી કરી હતી.

06-08-2021
4. તાપી જીલ્લામાંથી ગ્રીન ચેમ્પિયન તરીકે કસ્તુરબા અધ્યાપન મંદિર ,બોરખડીની પસંદગી


આજ રોજ તા. 6.08.21 એ માનનીય કલેક્ટર સર (તાપી) સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા 15 મિનીટ સુધી સંગીતાબેને સંસ્થા દર્શન કરાવ્યાં. ppt ની મદદથી કોલેજ કેમ્પસ, પ્રવૃત્તિ ની ઝલક બતાવી હતી . કલેક્ટર સાહેબે સંસ્થાની સફાઈ અને પ્રવૃત્તિથી પ્રભાવિત થયા હતા. કોલેજમાં આવવાની ઇચ્છા પણ વ્યકત કરી હતી. અમારી કોલેજને ભારતસરકાર / મહાત્માગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ શિક્ષા પરિષદ/ ઉચ્ચશિક્ષા વિભાગ/ શિક્ષામંત્રાલય દ્વારા Distict Green Champion Certificate થી નવાજયા. આ certificate પ્રતિકભાઈએ માનનીય કલેક્ટરનાં વરદ હસ્તે સ્વીકાર્યું હતું. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાની કોલેજૉના આચાર્યશ્રીઓ તેમજ અધ્યાપક મિત્રો જોડાયા હતા.આ કાર્યક્રમનુ સફળ આયોજન.ડો ભાવેશભાઈ એ કર્યુ હતું .સંગીતાબેને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

05-08-2021
ગીત શિબિર


આજ રોજ તા.5.08.21ના રોજ આશ્રમશાળા, કણજોડના આચાર્યશ્રી મનીષભાઈને ગીતો શીખવવા માટે આમંત્રિત કરવામાં આવ્યાં હતા. મનીષભાઈએ ગીતોના ટ્રેક પર તાલીમાર્થી બહેનોને ગીત શીખવ્યા. તેમાં પ્રાર્થના ,બાળગીતો ,દેશભક્તિ ગીતો અને અભિનય ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બપોરના 2.0 વાગ્યાથી શીખવવાની શરૂઆત કરી હતી સાંજે 6.0 વાગ્યા સુધી બહેનોએ સરસ રીતે ગીતો શીખ્યા હતા ,અને વર્ષ દરમ્યાન પ્રસંગોચિત તેનો ઉપયોગ પણ કરતાં રહ્યા હતા.

31-07-2021
2. એલાયન્સ કલબ ઈન્ટરનેશનલ, ડીસ્ટીક્ટ 141 દ્વારા ગ્રામ સેવા સમાજ,વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં સર્વિસ activities અંતર્ગત પ્રવૃત્તિઓ


એલાયન્સ કલબ ઈન્ટરનેશનલ, ડીસ્ટીક્ટ 141 દ્વારા ગ્રામ સેવા સમાજ, વ્યારા સંચાલિત કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં સર્વિસ activities અંતર્ગત તા.31-7-21નાં રોજ અધ્યાપન મંદિરના ભોજનાલયનાં બાંધકામમાં ડોનેશન આપવું, ગામના 100 મહિલા માટે સાડીનું વિતરણ અને અન્ય કપડાંનું વિતરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનોએ પ્રાર્થના દ્વારા કરી હતી કોલેજના આચાર્ય સંગીતાબેને મહેમાનોને આવકારી કોલેજ અને કોલેજની પ્રવૃતિ જણાવી હતી . એલાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા થતી સેવાકીય પ્રવૃત્તિઓને બીરદાવી આભાર વ્યકત કર્યો હતો. આ કાર્યક્રમમાં એલાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનાં પ્રમુખ કે જી. અગ્રવાલ સર, સાધના મેડમ, ડીસ્ટીકટ ગવર્નર ડો બીમલેશ તેવટીયા મેડમ, અતિથિ વિશેષ ડો મનમિતસિંહ જુનેજા, ડો તૃપ્તા બેન જૂનેજા મેડમ, ભુપેન્દ્રભાઈ ચહાવાલા, વિષ્ણુભાઈ, રાજેશભાઈ ચહાવાલા એ કાર્યક્રમની શોભા વધારી હતી. ડૉ બીમલેશબેન તેવટીયા મેડમે તાલીમાર્થી બહેનોએ ગાયેલા ગીતનો ભાવ હિન્દી ભાષામાં સમજાવ્યો હતો. વારંવાર આવવાનું મન થાય એવું આત્મીયતા ભર્યુ વાતાવરણથી પ્રભાવિત થયા હતાં. એલાયન્સ ઇન્ટરનેશનલ પ્રમુખશ્રી અગ્રવાલ સરે અહીંની પ્રવૃતિથી આનંદિત થયા હતા. તાલીમાર્થી બહેનોને સંબોધી કહ્યું હતું કે ખરું શિક્ષણ બુનિયાદી શિક્ષણ છે.જે તમને અહીં મળી રહ્યું છે .આ શિક્ષણને બાળકો સુધી તમારે પહોચાડવાનું છે. કૉલેજથી પ્રવૃતિ જાણી સૌને અભિનંદન પાઠવ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગામની 50 થી વધું મહિલાએ હાજરી આપી સહર્ષ સાડી સ્વીકારી આભાર વ્યકત કર્યો હતો. એલાયંસ ઇન્ટર નેશનલનાં પ્રમુખ તરફથી કોલેજના આચાર્ય એ ડોનેશનની રકમ સ્વીકારી આભાર વ્યકત કર્યો હતો. ભુપેન્દ્રભાઈ એ સૌને દાન આપવા પ્રોત્સાહિત કર્યાં હતા. સમગ્ર કાર્યક્રમનુ સફળ આયોજન શ્રી જયંતીભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.આભાર વિધિ કમલેશભાઈ કરી હતી. કાર્ય ક્રમને અંતે મહેમાનોએ વાતાવરણ ને અનુકૂળ નાસ્તો કરી તૃપ્ત થઈ વિદાય લીધી હતી.

08-05-2021
1. કોવિડ કેર સેન્ટરનો અહેવાલ


જ્યારે વિશ્વ કોરોનાની મહામારી માંથી પસાર થઇ રહ્યું હતું ત્યારે સરકારે અમુક એરિયા પ્રમાણે કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું નક્કી કર્યું હતું .તેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માયપુરના ડો નાયક સરના માર્ગદર્શન હેઠળ માયપુર કેન્દ્ર માંથી તા. 8.5.21 ના રોજ બોરખડી ગામ પસંદ કરવામાં આવ્યું. હવે સ્થળ પસંદ કરવાનું થયું ત્યારે સૌ ના પાડતાં હતા. ડી.એલ.એડના તાલીમાર્થી હતા નહીં આથી હોસ્ટેલ ખાલી હતી. તેને સાફસૂફ કરી સેનેટાઈઝ કરી. આ મહામારીમાંથી દૂર રહેવું તેવા સમયે સંસ્થાના આચાર્યશ્રી અને અધ્યાપક મિત્રોના પ્રયાસથી અધ્યાપન મંદિરમાં સગવડ ઊભી કરવાનું નક્કી થયુ.પ્રાથમિક સુવિધા ઊભી કરવામાં આવી. એનજીઓ એ સહકાર આપવાની વાત થઈ. માયપુર આસપાસના સાત ગામડામાં કોઈ દર્દીને ઘરે રહેવાની સગવડ ન હોય તેવા દર્દીને અહી રાખવાના હતા. આનંદ સાથે કહેવું જોઈએ કે કોઈ દર્દીએ કોવિડ કેર સેંટરની મુલાકાત લેવી પડી નહીં.

05-09-2019
શિક્ષકદિનનો અહેવાલ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં 5મી સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિના ભાગ રૂપે “’શિક્ષકદિન’ની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં એસ વાયની 9 અને એફ વાયની 4 તાલીમાર્થી બહેનોએ શિક્ષકોની ભુમિકા ભજવી હતી.જેમાં એસ વાયની તાલીમાર્થી બહેન ટીનાબેન આચાર્ય બન્યા હતા.સૌ પ્રથમ પ્રાર્થના સંમેલન કરવામાં આવ્યું હતુ.તેમાં આધ્યાપક શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બનેલા શિક્ષકોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ આચાર્યશ્રીએ ઉદ્દ્બોધન કર્યુ પછી તાલીમાર્થી બહેનોએ 8:00 વાગ્યેથી આયોજન મુજબ તાસ લીધા.ત્યાર બાદ 9:30 વાગે નાની રિસેસ આપવામાં આવી હતી.પછી ફરી આયોજન મુજબ તાસ લીધા. તાલીમાર્થી બહેનો ખૂબ જ નિષ્ઠાપૂર્વક શિક્ષણકાર્ય કરાવતા હતા. દરેક તાલીમાર્થી બહેનોએ જુદી જુદી પદ્ધતિથી શિક્ષણકાર્ય કરાવ્યું હતું અને 11:40 વાગે છુટા પડ્યા. આમ, ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિના ભાગ રૂપે “’શિક્ષકદિન’ની ઊજવણી ખુબ જ ઉત્સાહ પુર્વક કરવામાં આવી હતી.

29-08-2019
રમતોત્સવ અહેવાલ


અમારી કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં તા.29/08/2019ના રોજ રાષ્ટ્રિય રમત દિવસ નિમિત્તે રમતોત્સવ રાખવામાં આવ્યો હતો. જેમાં ખો-ખો,100મી દોડ,ગોળાફેંક,સંગીત ખુરશી,લીબું ચમચી,કોથળા કૂદ,ત્રિપગી દોડ,રસ્સા ખેંચ જેવી રમતો યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી એલ એડની તમામ બહેનોએ ભાગ લીધો હતો. રમતની શરૂઆત સૌ પ્રથમ 100મી દોડથી કરી હતી જેમાં પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી એલ એડની તમામ બહેનોએ ભાગ લીધો હતો અને વિજેતાને પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમ આપ્યા હતા. ત્યારબાદ ગોળાફેંક રમત રમાડવામાં આવી હતી જેમાં પણ પ્રથમ અને દ્વિતીય વર્ષ ડી એલ એડની તમામ બહેનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ સંગીત ખુરશીની રમત રમાડવામાં આવી હતી અને વિજેતાને પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમ આપ્યા હતા. ત્યારબાદ લીબું ચમચી,કોથળા કૂદ,ત્રિપગી દોડ,રસ્સા ખેંચ જેવી રમતો રમાડવામાં આવી હતી અને વિજેતાને પ્રથમ,દ્વિતીય અને તૃતિય ક્રમ આપ્યા હતા.આ બધી રમતો પૂર્ણ થયા બાદ દરેક જણાએ શપથ લીધી હતી.

15-08-2019
15 મી ઓગસ્ટનો અહેવાલ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં તા.15/08/2019 ના રોજ સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ પ્રભાતફેરી કરવામાં આવી હતી.પ્રભાતફેરીમાં ગ્રામશાળાના બાળકો, આશ્રમશાળા, બોરખડીના બાળકો તથા ઉ.બુ.વિદ્યાલયનીવિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થી બહેનો પણ જોડાઈ હતી.જેમાં દેશભક્તિ ગીતો ગાયા અને નારાઓ બોલાવવામાં આવ્યા હતા.ત્યારબાદ ગ્રામશાળા બોરખડીમાં ધ્વજ ફરકાવવા ગયા હતા અને પછી કોલેજમાં ધ્વજ ફરકાવવા માટે ભેગા થયા.ધ્વજવંદનનો કાર્યક્ર્મ પૂરો થયા પછી પ્રમુખશ્રીએ પ્રવચન આપ્યુ.ત્યારબાદ બાળકોને ચોકલેટ આપવામાં આવી સાથે ગ્રામજનોને નાસ્તો આપવામાં આવ્યો હતો.પછી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ, 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.

13-08-2019
યુવા મહોત્સવ(તાલુકા કક્ષા)નો અહેવાલ


તા. 13/08/2019ના રોજ ગ્રામ સેવા સમાજ,વ્યારા સંચાલિત દક્ષિણાપથ વિદ્યાલય,વ્યારા સ્થળે તાલુકા કક્ષાનો યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમાં અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાંથી 21 બહેનોએ ભાગ લીધો હતો. અમારી કોલેજ તરફથી હળવુ કંઠ્ય, સમૂહ ગીત,એકપાત્રીય અભિનય,વકતૃત્વ સ્પર્ધા,ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા જેવી કૃતિ રજૂ કરવાની હતી. અમે કોલેજથી સવારે 8:30 વાગ્યે નીકળી 9:00 વાગ્યે દક્ષિણાપથ વિદ્યાલય,વ્યારા પહોંચી ગયા ત્યાં જઈ સૌ પ્રથમ અમે અમારી કૃતિઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારબાદ ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને ચા-નાસ્તો કરાવવામાં આવ્યો પછી અમે અમારા માર્ગદર્શક અધ્યાપક શ્રી ચંદ્રકાંતભાઈ અને પાર્વતીબેન સાથે પોત પોતાના વિભાગમાં પહોંચી ગયા ત્યાં લગભગ 11:00 વાગ્યાની આસપાસ કાર્યક્રમની શરૂઆત થઈ. સૌ પ્રથમ અમારી તાલીમાર્થી બહેનોએ એક સરસ મજાનું સમૂહગીત રજૂ કર્યુ ત્યારબાદ સંગીત વિભાગમાં સૂરસંગીતનો કાર્યક્રમ ચાલતો હતો ત્યાં પણ અમારી તાલીમાર્થી બહેનોએ સરસ મઝાનું ગીત રજૂ કર્યું.આ દરમ્યાન અમે બીજી કૃતિઓનો આનંદ માણ્યો હતો. લગભગ 2:00 વાગ્યાની આસપાસ બધી જ કૃતિઓ પૂર્ણ થઈ ગઈ હતી.ત્યારબાદ 3:30 વાગ્યે અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડી આવી પહોંચ્યા હતા. આમ, આ યુવા મહોત્સવમાં અમને ખૂબ જ આનંદ મળ્યો અને સાથે-સાથે નવું નવું જાણવા અને શીખવા પણ મળ્યું.

07-08-2019
રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિનો અહેવાલ-2019


અમારી સંસ્થા ક્સ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણી તા. 07/08/2019 ના રોજ કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ શ્લોક ,પ્રાર્થના,ગીતથી શરૂઆત કરી. ત્યારબાદ આચાર્યાશ્રી સંગીતાબેને ઉદ્દબોધન કર્યુ પછી રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિના ભાગરૂપે સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહેંદી,રંગોળી, કેશગુંફન, ચિત્ર,વકતૃત્વ ,આરતી શણગાર, સર્જન તથા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.જેમાં ચિત્ર સ્પર્ધામાં 11તાલીમાર્થી બહેનો,રંગોળી સ્પર્ધામાં 7 ટુકડીઓ, કેશગુંફનમાં 5, આરતી શણગારમાં ૨,મહેંદીમાં 10 અને સર્જનમાં ૩ આમ,તાલીમાર્થી બહેનોએ હર્ષભેર ભાગ લીધો હતો.સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થી બહેનોને 1,2 અને 3 એમ ક્રમ આપવામાં આવ્યા. આમ, અમે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ રાખી અને ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

16-07-2019
ગુરૂપુર્ણિમાનો અહેવાલ-2019


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં તા. 16/07/2019ના રોજ ગુરૂપુર્ણિમા દિન ઉજવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમ્યાન અમે અમારા હોલનું સુદર રીતે સજાવટ કરી હતી .સૌ પ્રથમ પ્રાર્થના સંમેલનમાં શ્લોકથી શરૂઆત કર્યા બાદ પ્રાર્થના બાદ ભજન ગવાયુ. અમે અમારા અધ્યાપકોનું કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું.ત્યારબાદ તાલીમાર્થી બહેનોએ ગુરુજીનું મહત્વ અને ગુરૂપુર્ણિમા વિશે ઉંડાણથી માહિતી આપી અને ઋષિતાબેને ગુરુ વિષેનું સુંદર ભજન ગાયું. અમારા ગુરુઓએ અમને આશીર્વચનો આપ્યા તેમાં સૌ પ્રથમ આચાર્યાશ્રી સંગીતાબેનના બાપુજી એ ગુરુજીનું મહત્વ વિષે વાત કરી. ત્યારબાદ આચાર્યાશ્રી સંગીતાબેને અને અધ્યાપકશ્રી રાજેશભાઈએ અમને ગુરુનો મહિમા વિશે ઉંડાણથી માહિતી આપી.ત્યારબાદ તાલીમાર્થી બહેનોએ પોત-પોતાના વક્તવ્યમાં ગુરૂનો મહિમા વર્ણવ્યો હતો. ગુરૂપુર્ણિમા નિમિત્તે બધીજ તાલીમાર્થી બહેનો અને અધ્યાપકોએ પોતાના ગુરૂજનોને યાદ કરી તેમને કોટિ-કોટિ વંદન કર્યા.છેલ્લે રાષ્ટ્રગાન ગાઈ સૌ છુટા પડી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.

11-07-2019
વિશ્વ વસ્તી દિનનો અહેવાલ-2019


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં 11 જુલાઈ ‘વિશ્વ વસ્તી દિન’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. સવારે 10:10 કલાકે વિશ્વ વસ્તી દિન કાર્યક્રમની શરૂઆત થઈ હતી. કાર્યક્રમની શરૂઆત શ્ર્લોક, પ્રાર્થના અને ગીતથી થઈ હતી. સંસ્થાના આચાર્યાશ્રી સંગીતાબેન, અધ્યાપકશ્રી ડો. પ્રતિકભાઈ, પંકજભાઈ, પાર્વતીબેન, રાજેશભાઈ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પુષ્પગુચ્છ અને વેલકમ કાર્ડ દ્વારા અધ્યાપકોનું સ્વાગત થયુ હતું. 11મી જુલાઈએ ‘વિશ્વ વસ્તી દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિનની શરૂઆત ઈ.સ. 1989 માં કરવામાં હતી. જેના વિશેની માહિતી આચાર્યાશ્રી સંગીતાબેને આપી હતી ત્યારબાદ ડો. પ્રતિકભાઈ વ્યાસે આંકડાકીય માહિતી આપી. ‘વિશ્વ વસ્તી દિન’ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ જેવી કે નાટક, ચિત્ર, નિબંધ, વાર્તા અને પોસ્ટર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ નાટક સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં કુલ 10 બહેનોએ ભાગ લીધો હતો. તેઓએ સરસ રીતે પોતાના પાત્રો રજૂ કર્યા હતા. આ નાટકમાં વસ્તી વધારાના કારણો, વસ્તી ઘટાડવાના કારણો વગેરે વિષયો પર પાત્રો રજૂ થયા હતા. નાટક સ્પર્ધા પછી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી. ચિત્ર સ્પર્ધામાં કુલ 9 બહેનોએ ભાગ લીધો હતો અને નિબંધ સ્પર્ધામાં કુલ 16 બહેનોએ ભાગ લીધો હતો. તાલીમાર્થી બહેનોના ચિત્રો અને નિબંધો વિષય અનુરૂપ હતા. ત્યારપછી 6 બહેનોએ સ્લોગનવાળા પોસ્ટર સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારબાદ “નાનું કુટુંબ, સુખી કુટુંબ” નાટક રજૂ થયુ હતું. આ નાટકમાં નાનું કુટુંબ અને મોટુ કુટુંબ વચ્ચેનો ભેદ પ્રગટ થયો હતો. તેમાં આચાર્યાશ્રી , અધ્યાપકો અને તાલીમાર્થી બહેનોએ ખૂબ મજા માણી હતી અને આ નાટક ખૂબ જ સારી રીતે રજૂ થયુ હતું. અંતે રાષ્ટ્રગીત ગાઈને છુટા પડ્યા હતા.

21-06-2019
વિશ્વ યોગ દિનનો અહેવાલ -2019


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી તા.૨૧/૦૬/૧૯ ના રોજ ‘વિશ્વ યોગ દિન’ ની ઉજવણી કરવામાં આવી તેમાં તાલીમાર્થી બહેન અને અધ્યાપકોએ 6:30 કલાકથી બાયોસેગ દ્વારા પ્રસારિત માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ નિહાળ્યો. ત્યારબાદ યોગ કરવામાં આવ્યા હતા. યોગની શરૂઆત સવારે 7:30 કલાકથી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ઓમ કાર કરવામાં આવ્યુ. ત્યારબાદ શ્લોકનું ગાન કરાવી બોડી રોટેશનમાં ગરદન અને ખભાનું પરિભ્રમણ કરવામાં આવ્યુ. ત્યારબાદ આસનોમાં ઉભા રહીને કરી શકાય તેવા આસનો જેવા કે તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, ત્રિકોણાસન, બેસીને કરી શકાય તેવા આસનો જેવા કે અર્ધઉષ્ટ્રાસન, વક્રાસન, વજ્રાસન, શશાંકાસન અને સૂઇને કરી શકાય તેવા આસનો માં પેટના બળ પર કરવાના આસનો જેવા કે મકરાસન, ભુજંગાસન અને પીઠના બળ પર કરવાના આસનોમાં પુર્ણ પવનમુક્તાસન, સેતુઆસન, સવાસન કરવામાં આવ્યા.આમ, અમને આસનો ખૂબ સરળતાથી કરાવ્યા અને તેનું મહત્વ પણ સમજાવ્યું. ત્યારબાદ પ્રાણાયામમાં સૌ પ્રથમ કપાલભાતિ પ્રાણાયામ,ભ્રામરી પ્રાણાયામ અને નાડીશોધન પ્રાણાયામ કરવામાં આવ્યું પછી ધ્યાન કરાવી શ્લોક નું ગાન કરાવ્યું અને અંતે સંકલ્પ લેવડાવી અમને અમારા આચાર્યા સંગીતાબેને અમને તમામ આસનોના ફાયદા સમજાવ્યા અને તેના દ્વારા શરીરના વિકાસની સમજ આપવામાં આવી. આમ, અમારી કોલેજમાં ‘વિશ્વ યોગ દિન’ ઉજવણી ખૂબજ ઉત્સાહથી કરવામાં આવી.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ધર્મિષ્ઠાબેન, નંદનીબેન, મનીષાબેન અને પ્રિયંકાબેને કર્યું. અમને તો આસન અને પ્રાણાયામ કરવાની મજા આવી.સાથે સાથે અમારા અધ્યાપકોને પણ ખૂબ મજા આવી.ખરેખર આ દિવસે અમને યોગ અને આસનો વિશે શીખવા અને જાણવા મળ્યું.

21-06-2019
વિશ્વ યોગ દિનનો અહેવાલ -2019


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી તા.૨૧/૦૬/૧૯ ના રોજ ‘વિશ્વ યોગ દિન’ ની ઉજવણી કરવામાં આવી તેમાં તાલીમાર્થી બહેન અને અધ્યાપકોએ 6:30 કલાકથી બાયોસેગ દ્વારા પ્રસારિત માનનીય વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ નિહાળ્યો. ત્યારબાદ યોગ કરવામાં આવ્યા હતા. યોગની શરૂઆત સવારે 7:30 કલાકથી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ ઓમ કાર કરવામાં આવ્યુ. ત્યારબાદ શ્લોકનું ગાન કરાવી બોડી રોટેશનમાં ગરદન અને ખભાનું પરિભ્રમણ કરવામાં આવ્યુ. ત્યારબાદ આસનોમાં ઉભા રહીને કરી શકાય તેવા આસનો જેવા કે તાડાસન, વૃક્ષાસન, પાદહસ્તાસન, ત્રિકોણાસન, બેસીને કરી શકાય તેવા આસનો જેવા કે અર્ધઉષ્ટ્રાસન, વક્રાસન, વજ્રાસન, શશાંકાસન અને સૂઇને કરી શકાય તેવા આસનો માં પેટના બળ પર કરવાના આસનો જેવા કે મકરાસન, ભુજંગાસન અને પીઠના બળ પર કરવાના આસનોમાં પુર્ણ પવનમુક્તાસન, સેતુઆસન, સવાસન કરવામાં આવ્યા.આમ, અમને આસનો ખૂબ સરળતાથી કરાવ્યા અને તેનું મહત્વ પણ સમજાવ્યું. ત્યારબાદ પ્રાણાયામમાં સૌ પ્રથમ કપાલભાતિ પ્રાણાયામ,ભ્રામરી પ્રાણાયામ અને નાડીશોધન પ્રાણાયામ કરવામાં આવ્યું પછી ધ્યાન કરાવી શ્લોક નું ગાન કરાવ્યું અને અંતે સંકલ્પ લેવડાવી અમને અમારા આચાર્યા સંગીતાબેને અમને તમામ આસનોના ફાયદા સમજાવ્યા અને તેના દ્વારા શરીરના વિકાસની સમજ આપવામાં આવી. આમ, અમારી કોલેજમાં ‘વિશ્વ યોગ દિન’ ઉજવણી ખૂબજ ઉત્સાહથી કરવામાં આવી.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ધર્મિષ્ઠાબેન, નંદનીબેન, મનીષાબેન અને પ્રિયંકાબેને કર્યું. અમને તો આસન અને પ્રાણાયામ કરવાની મજા આવી.સાથે સાથે અમારા અધ્યાપકોને પણ ખૂબ મજા આવી.ખરેખર આ દિવસે અમને યોગ અને આસનો વિશે શીખવા અને જાણવા મળ્યું.

19-02-2019
ઓરિગામીનો અહેવાલ


અમારી કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાં તા.19/02/2019 ના રોજ 2:10 વાગ્યે ગામ મથાવાળાના વતની લાલજીભાઈ ભીમાભાઈ શ્યાળ આવ્યા.તેમણે સૌ પ્રથમ તો પોતાનો પરિચય આપ્યો પછી અમારી કોલેજના આચાર્યશ્રી સંગીતાબેન તેમનું સ્વાગત કર્યું અને કાગળના બનાવટ વિશે વાત કરી.ત્યારબાદ લાલજીભાઈએ પોતે કાગળમાંથી અનેક વસ્તુઓ બનાવવા આવ્યા છે તે અંગેની વાત કરી અને નમૂનાઓ પણ બતાવ્યા પછી બધી તાલીમાર્થી બેહનોને કાગળો વહેંચીને હોડી બનાવતા શીખવી પછી સાદી હોડીમાંથી સઢવાળી હોડી બનાવતા શીખવ્યું.ત્યારપછી કાગળમાંથી બોક્સ બનાવતાં શીખવ્યા.આ બોક્સમાં શું-શું મૂકી શકાય તેમજ કઈ કઈ રીતે ઉપયોગી થઈ શકે તેના વિશે સમજાવ્યું.તેમને અમે વચ્ચે વચ્ચે તાળીઓના ગડગડાટથી પ્રોત્સાહિત કરતા રહ્યા.અમારી સાથે અમારા આચાર્યા સંગીતાબેન તેમજ પ્રતીકભાઈએ પણ આ વસ્તુઓ બનાવવાની પ્રવૃત્તિમાં ભાગ લીધો.બધી તાલીમાર્થી બહનોએ ખૂબ જ સરસ બોક્સ તેમજ હોડીઓ બનાવી તેમજ એક ફૂલ બનાવતા પણ શીખવ્યા. આ બધી પ્રવૃત્તિઓ સૌ બેહનોએ ખૂબ જ આનંદથી કરી.અંતે 3:00 વાગ્યે અમારી કોલેજની તાલીમાર્થી એલિસાબેને લાલજીભાઈ ભીમાભાઈ શ્યાળનો કોલેજ વતી આભાર માન્યો અને ફરી બીજા વર્શે આવવા પણ જણાવ્યું.આમ, લાલજીભાઈએ 3:05 વાગ્યે કોલેજમાંથી રજા લીધી.

12-02-2019
રાજયકક્ષાનો રમતોત્સવ અહેવાલ


અમારી કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીમાંથી રાજ્યકક્ષા રમતોત્સવ પાટણ ખાતે બહેનોએ તા.૧૨/૦૨/૧૯ થી ૧૬/૦૨/૧૯માં ભાગ લીધો હતો. તેમાં ખો-ખો,દોડ,લાંબીકૂદ,ગોળાફેંક,યોગ જેવી રમતમાં ભાગ લીધો હતો. બધી બહેનોએ ખૂબ જ સારી રીતે પ્રેક્ટિસ કરી હતી. અમે અહીંથી ૧૧/૦૨/૧૯ના રોજ સાંજે 7-00 વાગ્યે પાટણ જવા નીકળ્યા હતા. પછી અધ્યાપકશ્રીઓ ચંદ્રકાંતભાઈ અને પાર્વતીબેન પણ અમારી સાથે હતા. અમે પાટણ સવારે 8-00 પહોંચી ગયા હતા.પછી અમે નિત્યક્રમ પતાવી રાણકીવાવ ફરવા માટે ગયા.ત્યારબાદ પાટણનું પટોળું જોવા ગયા પછી આવીને રજીસ્ટ્રેશન કરાવ્યું પછી સાંજે 4-00 વાગે ઉદ્ઘાટન કાર્યક્રમ થયો. તેમાં ગુજરાત રાજ્યના નિયામકશ્રી મેશી સાહેબ તથા મહેમાનો હાજર રહ્યા હતા. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થયો. ખો-ખોની એક ટીમને રમાડવામાં આવી પછી બધાં જમવા માટે ગયા.બીજા દિવસે બધી બહેનો પોત-પોતાના મેદાન પર રમવા ગયા.બધી બહેનો ઉત્સાહથી રમત રમતા હતા.ખો-ખોની રમતમાં સૌ પ્રથમ ડાંગ જીલ્લાની ડીએલએડ કોલેજની બહેનો સાથે રમાડવામાં આવી તેમાં અમે વિજેતા થયા પછી રાજકોટ જિલ્લાની ડીએલએડ કોલેજની બહેનો સાથે રમ્યા પણ હારી જતા અમે સાજે 4-00 વાગ્યે બોરખડી આવવા માટે નીકળ્યા. 14 તારીખે અમે બોરખડી આવી પહોંચ્યા.

22-12-2018
સઘન શિક્ષણ સેમિનાર સા.વિ.(ધો-7‌)(ગડત)


વિનોબા આશ્રમશાળા,ગડત મુકામે તા.22/12/18 થી તા.24/12/18 સુધી સઘન શિક્ષણ સેમિનાર સા.વિ. ધો-7નું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનોએ શ્લોક,પ્રાર્થના અને સ્વાગતગીત ગાઈને કરી હતી. મુખ્ય મહેમાનોમાં હળપતિ સેવા સંઘ બારડોલી,પગલા સમિતિ અને રચનાત્મક સંઘના પ્રમુખશ્રી અરવિંદભાઇ દેસાઈ, ગ્રામ સેવા સમાજ,વ્યારાના પ્રમુખશ્રી ગણપતભાઈ ગામીત,સ્વરાજ આશ્રમ,વેડછીના ટ્રસ્ટી શ્રી માધુભાઈ ચૌધરી, મોહનભાઈ મઢીકર તેમજ વેડછી બી એડ કોલેજના આચાર્યાશ્રી અંજનાબેન અને ઉષાબેન મુખ્ય મહેમાનો હતા તેમજ 31 જેટલી જુદીજુદી આશ્રમશાળાના આચાર્યશ્રીઓ તેમજ સામાજિક વિજ્ઞાન ધો-7ના શિક્ષકો અને બાળકો આવ્યા હતા. આ સેમિનારનું ઉદ્દ્ઘાટન ડો.તુષારભાઈ ચૌધરીએ કર્યું હતું તેમની સાથે મોહનભાઈ પંડ્યા તેમજ ધારાસભ્ય શ્રી પુનાજીભાઈ ગામીત આવ્યા હતા. મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન મનીષભાઈ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યુ હતું. આ સેમિનારમાં જુદા જુદા વિભાગો હતા જેમાં પ્રદર્શન વિભાગ,ચર્ચા સભા,ક્વિઝ વિભાગ,નિદર્શન વિભાગ, ગાંધી દર્શન,ઓડિયો વ્યુઝ્યલ વિભાગ,નકશા પુર્તિ વિભાગ,સર્જન વિભાગ પાડવામાં આવ્યા હતા. તેમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બહેનોએ નિદર્શન વિભાગનું આયોજન કર્યુ હતું અને વેડછી બી એડ કોલેજના બહેનોએ સર્જન વિભાગનું આયોજન કર્યુ હતું તેમાં વક્તા તરીકે દક્ષાબેન વ્યાસ અને ડો.ધર્મેશ પંડ્યા આવ્યા હતા. વિવિધ આશ્રમશાળાઓના બાળકો દ્વારા રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપનમાં અધ્યક્ષ સ્થાને ભગુભાઈ દરજી અને મહેશભાઈ ધીંમરના પુસ્તકનુ વિમોચન કરવામા આવ્યુ હતુ ત્યારબાદ કાર્યક્રમ રાષ્ટ્રગીત ગાઈને પુર્ણ કરવામાં આવ્યો હતો.

04-12-2018
સઘન શિક્ષણ સેમિનાર સા.વિ.(ધો-7‌)


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી દ્વારા તા.04/12/18 ના રોજ સઘન શિક્ષણ સેમિનાર સા.વિ. ધો-7 ની મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનોએ શ્લોક,પ્રાર્થના અને ગીત ગાઈને કરી હતી. આચાર્યાશ્રી સંગીતાબેન દ્વારા મહેમાનોનું ફૂલ અને વેલકમ કાર્ડ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતું ત્યારબાદ સંચાલક શ્રી ભગુભાઈ દરજી દ્વારા મિટીંગનું સંચાલન કરવામાં આવ્યુ હતું. મુખ્ય મહેમાનોમાં હળપતિ સેવા સંઘ બારડોલી,પગલા સમિતિ અને રચનાત્મક સંઘના પ્રમુખશ્રી અરવિંદભાઇ દેસાઈ ,ગ્રામ સેવા સમાજ,વ્યારાના પ્રમુખશ્રી ગણપતભાઈ ગામીત ,સ્વરાજ આશ્રમ,વેડછીના ટ્રસ્ટી શ્રી માધુભાઈ ચૌધરી, મોહનભાઈ મઢીકર,તેમજ વેડછીના આચાર્યાશ્રી અંજનાબેન અને ઉષાબેન મુખ્ય મહેમાનો હતા તેમજ 31 જેટલી જુદીજુદી આશ્રમશાળાના આચાર્યશ્રીઓ તેમજ સામાજિક વિજ્ઞાન ધો-7ના શિક્ષકો અને દરેક શાળાના બે-બે બાળકો મિટીંગમાં આવ્યા હતા. તેમાં કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બહેનોએ નિદર્શન વિભાગનું આયોજન કર્યુ હતું. કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડીની બહેનો દ્વારા નિદર્શન વિભાગમાં અકબર-બીરબલનું નાટક(પ્રથમવર્ષ), ભારતના રાજ્યોની પઝલ,તાપી જિલ્લાનું નકશા વાંચન, દિવસ અને રાત, ગુજરાતના જોવાલાયક સ્થળો,વિવિધ દેશોમાં સ્થાનિક સમય,મધ્યપ્રદેશના જોવાલાયક સ્થળો,મહારાષ્ટ્રના જોવાલાયક સ્થળો,બજારમાં ગ્રાહક,ભારતની નદીઓ,રસ્તા પરના સાઈનબોર્ડ ,ભારતદર્શન ,ભારતના શિલ્પસ્થાપત્યો,રાજસ્થાનના જોવાલાયક સ્થળો,ભારતના રાજ્યોના પાટનગરની પઝલ,ભારતની વિભૂતિઓ જેવા વિષયોની નિદર્શન કરવામાં આવ્યુ હતું. નિદર્શન વિભાગમાં બહેનો દ્વારા દરેક આશ્રમશાળાઓના બાળકોને સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમને અંતે સૌએ સમૂહભોજન કરી છૂટા પડ્યા હતા.

26-11-2018
150મી ગાંધી સાર્ધશતાબ્દી અહેવાલ


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી દ્વારા તા.26/11/18 ના રોજ ગ્રામ સેવા સમાજ,વ્યારા અને સમન્વય પર્વના સંયુક્ત ઉપક્રમે ગાંધી સાર્ધશતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનોએ ગીત ગાઈને કરી હતી. ત્યારબાદ કોલેજના આચાર્યા બહેનશ્રી સંગીતાબેન દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત વેલકમ કાર્ડ અને પુષ્પગુચ્છ દ્રારા કરવામાં આવ્યું હતુ અને મહેમાનોનો પરિચય આપ્યો હતો. વક્તા તરીકે શ્રી પ્રતાપભાઈ,શ્રી માવજીભાઈ,શ્રી બાબુકાકા ,શ્રી ડો. મૂળજીભાઈ,શ્રી મોહનભાઈ, શ્રીમતી ઉષાબેન અને મંજુબેન આવ્યા હતા. તેઓએ ગાંધીજી વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું અને ઉષાબેને સુંદર કંઠ દ્વારા ગાંધીગીત ગાયુ હતું ત્યારબાદ ગાંધીજીના પુસ્તકો વિશે તેઓએ માહિતી આપી હતી તથા કોલેજના અધ્યાપક શ્રી રાજેશભાઈએ આભારવિધિ સાથે આભાર વ્યક્ત કર્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

29-10-2018
નિવૃત્તિ કાર્યક્રમનો અહેવાલ


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી દ્વારા અમારા વોચમેનકાકા શ્રી રામચંદ્રભાઈનો નિવૃત્તિ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તેમાં સૌ પ્રથમ શ્લોક,પ્રાર્થના અને ગીત રજૂ કર્યા અને ત્યારબાદ સંગીતાબેને રામચંદ્રભાઈ વિશે વાતો કરી હતી. ત્યારબાદ રામચંદ્રભાઈનું સન્માન કર્યુ અને તેમાં વેલકમ કાર્ડ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યુ હતુ. ત્યારબાદઅધ્યાપકશ્રીઓએ તેમના વિશે માહિતે અપી હતી. ત્યારબાદ રામચંદ્રભાઈએ તેમના વિતેલા સમય વિશે વાતો કરી પછી તેમને કોલેજ તરફથી સ્મૃતિભેટ આપવામાં આવી અને અંતે તેમનો આભાર માની કાર્યક્રમ પુર્ણ કર્યો.

02-10-2018
ગાંધી જયંતીનો અહેવાલ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં 2જી ઓક્ટોબર 150 મી ગાંધી જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં અમે સવારે 7:00 વાગ્યે પ્રભાત ફેરીમાં ગયા.જેમાં અમે કોલેજથી નીકળ્યા અને આશ્રમશાળા બોરખડી ગયા અને ફરી ત્યાંથી નીકળી અમે કોલેજ આવ્યા અને ત્યારબાદ 8:00 વાગ્યાથી સર્વ ધર્મ પ્રાર્થના કરી પ્રાર્થના બાદ અમે મહાત્મા ગાંધીના વિચારો વિશે સમીક્ષા કરી હતી એના વિશે એફ વાયની તાલીમાર્થી બહેનોએ પોતાના મંતવ્યો રજૂ કરી 9:00 વાગ્યે ગાંધીજીના પ્રિય ભજનો જેવા કે “ વૈષ્ણવજન તો તેને રે કહીએ”, એનું જીવન કાર્ય, અમી વર્ષંતી બાપુની વાત,ઘણી ઘણી ખમ્મા વગેરે જેવા ગીતો ગાયા હતા.ત્યારબાદ 10 થી 12 વાગ્યા સુધી સમૂહ સફાઈ કરી જેમાં અમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમારી કોલેજના પ્રટાંગણની સફાઈ કરી હતી અને ત્યારબાદ પ્લાસ્ટિક નિકાલ ઝૂંબેશ શરૂ કર્યું અને ત્યારબાદ અમે શેરી અને મહોલ્લામાં જઈ સફાઈ કરી હતી. આમ, અમે 150 મી ગાંધી જ્યંતીની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

26-09-2018
નશાબંધીનો અહેવાલ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં નશાબંધી અને આબકારી ખાતું ,તાપી અને પૂ.મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે તા.26/09/2018 ના રોજ ઊજવણી કરવામાં આવી હતી.જેમાં વક્તૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,ગાંધી ગીત સ્પર્ધા અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં 9, નિબંધ સ્પર્ધામાં 11, ગાંધી ગીત સ્પર્ધામાં10, પોસ્ટર /ચિત્ર સ્પર્ધામાં 10 એફ વાય અને એસ વાય ની તાલીમાર્થી બેહનોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. સૌ પ્રથમ પ્રાર્થના સંમેલન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ અચાર્યશ્રી સંગીતાબેને ઉદ્દ્બોધન કર્યું હતું. પછી વક્તૃત્વ સ્પર્ધા અને ગાંધી ગીત સ્પર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં એફ વાયની 3 એસ વાયની 6 તાલીમાર્થી બેહનોએ ગાંધીજીના અલગ-અલગ જીવન પ્રસંગો વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યારપછી નિબંધ અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધાની શરૂઆત થઈ હતી. નિબંધ સ્પર્ધામાં 03 એફ વાય અને 08 એસ વાય ની તાલીમાર્થી બેહનોએ નશાબંધીમાં સ્ત્રીઓનો ફાળો વિશે નિબંધ લેખન કર્યું હતું અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધામાં વ્યસન નાબૂદ કરવાના સૂચનો આપતા ચિત્રો દોર્યા હતા. જે સ્પર્ધાઓ યોજવામાં અવી હતી તે સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓનું મૂલ્યાંકન થકી પ્રથમ,બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો હતો.જેમાં વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ નં.હળપતિ એલિશા બી, બીજો નં. ચૌધરી રાધા ડી અને ત્રીજો નં. ચૌધરી નિકિતા આર, નિબંધ સ્પર્ધામાં પ્રથમ નં.ગામીત સરિતા એ, બીજો નં. કાથુડ દિક્ષિતા આઈ અને ત્રીજો નં. ગામીત દર્શના ડી, ગાંધી ગીત સ્પર્ધામાં પ્રથમ નં.વસાવા સરસ્વતી આર, બીજો નં. ભોયે પિનલ એમ.ડી અને ત્રીજો નં. ટંડેલ યુક્તા એ. અને પોસ્ટર /ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નં.ચૌધરી વૈભવી એ. બીજો નં. દિયોરા દિવ્યા બી અને ત્રીજો નં.દિયોરા મનિષા એન વિજેતા થયા હતા. આમ, નશાબંધી અને આબકારી ખાતું ,તાપી અને પૂ.મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી અને બધી તાલીમાર્થી બેહનોએ હર્ષભેર ભાગ લીધો હતો.

06-09-2018
‘મિશન વિદ્યા’નો અહેવાલ


ગુજરાત સરકાર દ્વારા આયોજિત ‘મિશન વિદ્યા’ ભાગરૂપે અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાંથી તા.06/09/2018 થી 08/09/2018 સુધી ‘મિશન વિદ્યા’ અંતર્ગત મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવી હતી.તેમાં તાપી જીલ્લાના 7 તાલુકાઓમાં 4 તાલીમાર્થી બહેનોને ત્રણ-ત્રણ શાળાઓમાં Fi તરીકે મૂલ્યાંકનની કામગીરી સોંપવામાં આવી હતી. તાપી જીલ્લાના તાલુકા પ્રમાણે અધ્યાપકશ્રીઓને કન્વીનર તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી.જેમાં વાલોડ તાલુકામાં ડો.પ્રતિકભાઈ,ડોલવણ તાલુકામાં પંકજભાઈ ,કુકરમુંડા તાલુકામાં ચંદ્રકાંતભાઈ અને નિઝર તાલુકામાં રાજેશભાઈ તેમજ ઉચ્છલ તાલુકામાં સુભાષભાઈ ને કન્વીનર તરીકેની કામગીરી સોંપવામાં આવી હતી.પ્રથમ દિવસે જે શાળામાં જવાનું હોય તે શાળામાં જઈ આચાર્યશ્રીને મળવું ત્યારબાદ વાંચન,લેખન અને ગણનમાં જે વિદ્યાર્થીઓ હોય તેની ચકાસણી કરી લેવી અને ત્યારબાદ વાંચન,લેખન અને ગણન કરાવી બાળકોનું મૂલ્યાંકન કરવામાં આવતું ત્યારબાદ મૂલ્યાંકનના માર્ક ઓનલાઈન સબમીટ કરી આવી જતા હતા. આમ, ત્રણે દિવસે પોત-પોતાના ભાગે આવેલી શાળાઓમાં નિષ્ઠાપુર્વક કાર્ય કરી Fi તરીકેની ભૂમિકા ભજવી હતી.

05-09-2018
શિક્ષકદિનનો અહેવાલ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં 5મી સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિના ભાગ રૂપે “’શિક્ષકદિન’ની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં એસ વાયની 7 અને એફ વાયની 6 તાલીમાર્થી બહેનોએ શિક્ષકોની ભુમિકા ભજવી હતી.જેમાં એસ વાયની તાલીમાર્થી બહેન સરિતાબેન આચાર્ય બન્યા હતા.સૌ પ્રથમ પ્રાર્થના સંમેલન કરવામાં આવ્યું હતુ.તેમાં આધ્યાપક શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને બનેલા શિક્ષકોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ આચાર્યશ્રીએ ઉદ્દ્બોધન કર્યુ પછી તાલીમાર્થી બહેનોએ 11:00 વાગ્યેથી આયોજન મુજબ તાસ લીધા.ત્યાર બાદ 12:00 વાગે નાની રિસેસ આપવામાં આવી હતી.પછી ફરી આયોજન મુજબ તાસ લીધા. તાલીમાર્થી બહેનોએ ખુબ જ નિષ્ઠાપુર્વક શિક્ષણકાર્ય કરાવતા હતા. 4:00 વાગે શારિરીક શિક્ષણના તાસ હોવાથી બધી તાલીમાર્થી બહેનો મેદાનમાં અલગ-અલગ પ્રકારની રમતો રમી હતી જેમાં ખો-ખો , કબડ્ડી તેમજ અન્ય રમતો રમાડી હતી અને 5:00 વાગે છુટા પડ્યા. આમ, ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતિના ભાગ રૂપે “’શિક્ષકદિન’ની ઊજવણી ખુબ જ ઉત્સાહ પુર્વક કરવામાં આવી હતી.

26-08-2018
રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિનો અહેવાલ


અમારી સંસ્થા ક્સ્તુરબા અધ્યાપન મંદીર, બોરખડીમાં રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણી આજ તા.૧૪-૮-૨૦૧૮ ના રોજ કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ શ્લોક ,પ્રાર્થના,ગીતથી શરૂઆત કરી.ત્યારબાદ આચાર્યાશ્રી સંગીતાબેને ઉદ્દબોધન કર્યુ પછી રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિના ભાગરૂપે સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં મહેંદી,રંગોલી, કેશગુંફન, ચિત્ર,વકતૃત્વ ,આરતી શણગાર, સર્જન તથા વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.જેમાં ચિત્ર સ્પર્ધામાં ૧૩તાલીમાર્થી બહેનો,રંગોળી સ્પર્ધામાં ૭ ટુકડીઓ, કેશગુંફનમાં ૭, આરતી શણગારમાં ૨,મહેંદીમાં ૧૫ અને સર્જનમાં ૩ આમ,તાલીમાર્થી બહેનોએ હર્ષભેર ભાગ લીધો હતો.સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થી બહેનોને 1,2 અને 3 એમ ક્રમ આપવામાં આવ્યા. આમ, અમે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિની ઉજવણીના ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ રાખી અને ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

15-08-2018
15 મી ઓગસ્ટનો અહેવાલ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં તા.15/08/2018 ના રોજ સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવી હતી.જેમાં સૌ પ્રથમ પ્રભાતફેરી કરવામાં આવી હતી.પ્રભાતફેરીમાંગ્રામશાળાના બાળકો,આશ્રમશાળા,બોરખડીના બાળકો તથા ઉ.બુ.વિદ્યાલયનીવિદ્યાર્થીનીઓ અને તાલીમાર્થી બહેનો પણ જોડાઈ હતી.જેમાં દેશભક્તિ ગીતો ગાયા અને નારાઓ બોલાવવામાં આવ્યા હતા.ત્યારબાદ ગ્રામશાળા બોરખડીમાં ધ્વજ ફરકાવવા ગયા હતા અને પછી કોલેજમાં ધ્વજ ફરકાવવા માટે ભેગા થયા.ધ્વજવંદનનો કાર્યક્ર્મ પૂરો થયા પછી પ્રમુખશ્રીએ પ્રવચન આપ્યુ.ત્યારબાદ બાળકોને ચોકલેટ આપવામાં આવી સાથે ગ્રામજનોને નાસ્તો આપવામાં આવ્યો હતો.પછી સાંસ્કૃતિક કાર્યક્ર્મની શરૂઆત કરવામાં આવી હતી.જેમા સૌ પ્રથમ પ્રાર્થના હર તરફ......... એસ વાય ની બહેનોએ રજૂ કરી હતી.ત્યારબાદ આશ્રમશાળા બોરખડીની બહેનોએ આદિવાસી નૃત્ય તથા ઉ.બુ.વિદ્યાલયની બહેનોએ ગરબો રજૂ કર્યો હતો પછી દેશભક્તિ ગીત અને એસ વાય ની બહેનોએ ગરબો રજૂ કર્યો.આમ, સાંસ્કૃતિક કાર્યક્ર્મ પૂરો થયો ત્યારબાદ સરપંચશ્રીએ ઇનામ આપ્યું અને પછી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ, 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી.

30-07-2018
કલા મહાકુંભ(જીલ્લા કક્ષા)નો અહેવાલ


જીલ્લા કક્ષાએ યોજાયેલ કલા મહાકુંભમાં અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાંથી તાલીમાર્થી બહેનોએ ભાગ લીધો હતો. જેમાં અમારી કોલેજની ગરબા અને સુગમસંગીતની કૃતિ રજૂ થઈ.અમે કોલેજથી સવારે 7:30 કલાકે નીકળી 8:15 કલાકે ઉંચામાળા પહોંચી ગયા હતા ત્યાં અલગ-અલગ શાળાઓમાંથી પણ જુદી-જુદી કૃતિઓ રજૂ કરવમાં આવી જેનો અમે ખૂબ આનંદ માણ્યો હતો અને ત્યારબાદ ભોજન કર્યું અને અમે અમારી કૃતિ અમે લગભગ 3:50 કલાકે ગરબો અને 4:10 કલાકે સુગમ સંગીત રજૂ કર્યું. જેમાં અમારા ગરબાનો પ્રથમ નંબર અને સુગમ સંગીતનો ત્રીજો નંબર પ્રાપ્ત થતાં અમારી તાલીમાર્થી બહેનોમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. અમે સૌ ખુશ થતાં થતાં સાંજે 5:30 કલાકે અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડી પહોંચી ગયા.

27-07-2018
ગુરૂપુર્ણિમાનો અહેવાલ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં તા.27/07/18 ના રોજ ગુરૂપુર્ણિમા દિન ઉજવવામાં આવ્યો હતો.સવારે પ્રાર્થના સંમેલન કર્યા બાદ અમે અમારા અધ્યાપકોનું પુષ્પો દ્વારા સ્વાગત કર્યું. અધ્યાપકોએ અમને ગુરુજીનું મહ્ત્વ અને ગુરૂપુર્ણિમા વિશે ઉંડાણથી માહિતી આપી.ત્યારબાદ તાલીમાર્થી બહેનોએ પોત-પોતાના વક્તવ્યમાં ગુરૂનો મહિમા વર્ણવ્યો હતો. ગુરૂપુર્ણિમા નિમિત્તે બધીજ તાલીમાર્થી બહેનો અને અધ્યાપકોએ પોતાના ગુરૂજનોને યાદ કરી તેમને કોટિ-કોટિ વંદન કર્યા.છેલ્લે રાષ્ટ્રગાન કરી સૌ છુટા પડી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.

26-07-2018
પ્રવેશોત્સવ કાર્યક્રમ


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાં તા.26/07/2018 ના રોજ પ્રથમ વર્ષની તાલીમાર્થી બહેનોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગ્રામ સેવા સમાજ,વ્યારાના પ્રમુખ શ્રી ગણપતભાઇ ગામીત , વ્યારા જીનના પ્રમુખ શ્રી ચુનીકાકા તેમજ રમેશભાઇ મોજડીયા હાજર રહ્યા હતા તથા અમારા કાર્યક્રમની શોભા વધારવા બોરખડી આશ્રમશાળાના આચાર્યશ્રી સુધીરભાઇ વળવી તથા ઉ બુ આશ્રમશાળાના શિક્ષકશ્રી સુરેશભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્યા શ્રી સંગીતાબેને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતુ અને પછી પુષ્પગુચ્છ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું.ડો.પ્રતીકભાઇએ મંચસ્થ મહેમાનોનો પરિચય કરાવ્યો અને ત્યારબાદ કોલેજના સ્ટાફ શિક્ષકશ્રી પંકજભાઇ,ચંદ્રકાંતભાઇ તેમજ પાર્વતીબેને પ્રસંગને અનુરૂપ તાલીમાર્થી બહેનોને આવકારી આશિષ વચનો આપ્યા ત્યારબાદ પ્રથમ વર્ષની તાલીમાર્થી બહેનોનું કંકુતિલક અને ટોપી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમની શોભા વધારનાર માનવંતા મહેમાનશ્રીઓએ તેમના શબ્દોમાં થોડી વાતો કરી તાલીમાર્થી બહેનોને આશીર્વચનો આપ્યા અને તાલીમાર્થી બહેનોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. પછી સૌ સાથે ભેગા મળી સમૂહભોજન કરી બધા છૂટા પડ્યા હતા.

11-07-2018
વિશ્વ વસ્તી દિન


અમારી કોલેજ કસ્તુરબા અધ્યાપન મંદિર ,બોરખડીમાં 11 જુલાઈ ‘વિશ્વ વસ્તી દિન’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.11મી જુલાઈએ ‘વિશ્વ વસ્તી દિન’ તરીકે ઉજવવામાં આવે છે.આ દિનની શરૂઆત ઈ.સ. 1989 માં કરવામાં હતી.જેના વિશેની માહિતી આચાર્યાશ્રી સંગીતાબેને આપી હતી ત્યારબાદ ‘વિશ્વ વસ્તી દિન’ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ ,ચિત્ર,નિબંધ અને પોસ્ટર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ “નાનું કુટુંબ,સુખી કુટુંબ” નાટક રજૂ થયુ હતું.આ નાટકમાં નાનું કુટુંબ અને મોટુ કુટુંબ વચ્ચેનો ભેદ પ્રગટ થયો હતો. તેમાં આચાર્યાશ્રી , અધ્યાપકો અને તાલીમાર્થી બહેનોએ ખૂબ મજા માણી હતી અને આ નાટક ખૂબ જ સારી રીતે રજૂ થયુ હતું. અંતે રાષ્ટ્રગીત ગાઈને છુટા પડ્યા હતા.

25-06-2018
ઇન્ટર્નશિપ પ્રથમ તબક્કાનો અહેવાલ


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી દ્વારા પ્રથમ તબક્કો ઇન્ટર્નશિપનું આયોજન કરવામાં આવ્યું જેનો સમયગાળો તા.૨૫/૦૬/૧૮થીતા.૦૫/૦૭/૧૮ રાખવામાં આવેલ હતો. જેમાં પ્રા.શાળા,લોટરવા,આ.શાળા ,બોરખડી 1 અને 2 અને ગ્રામ શાળા બોરખડીની પસંદગી કરવામાં આવી હતી જેમાં અનુક્રમે માર્ગદર્શક તરીકેની જવાબદારી ચંદ્રકાંતભાઈ, પ્રતિકભાઇ, પંકજભાઈ, સંગીતાબેન અનેપાર્વતીબેનની હતી.આ ઇન્ટર્નશિપમાં ધો.6થી8 ના પ્રથમ સત્રના વિષયો જેવા કે ગુજરાતી,ગણિત,સા. વિ. ,શા.શિ. અને ચિત્રના એક એક એમ કુલ 5 સાદા પાઠોનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમાર્થી બહેનો અલગ અલગ વિષયોનું અધ્યયન અલગ અલગ પદ્ધતિઓ જેવી કે નાટક,અવલોકન,આગમન નિગમનથી થયું હતું. આ ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં પ્રાર્થના સંમેલન પણ વિવિધતા સભર હતું. અધ્યયન કાર્યની સાથે તાલીમાર્થી બહેનોએ સહ અભ્યાસિક પ્રવૃતિઓ જેવી કે ગરબો, અભિનય ગીત,ડાંગી નૃત્ય વગેરે બાળકોને શીખવ્યા હતા. આ ઇન્ટર્નશિપ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નવી નવી રમતો અને ચિત્રનો ઉપયોગ કરતા હતા અને શિક્ષણકાર્યમાં વિવિધ ટી એલ એમો અને ચાર્ટ, વિડીયો,મોડેલ,પ્રત્યક્ષ વસ્તુઓ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય કરાવતા હતા.

23-06-2018
21 મો સંગીત શિબિર -2018નો અહેવાલ


બુનિયાદી શિક્ષણ રચનાત્મક સંઘ,બારડોલી તથા ગાંધી વિદ્યાપીઠ વેડછીના સંયુક્ત ઉપક્રમે ઉત્તર બુનિયાદી શાળાઓનો સંગીત શિબિર ગાંધી વિદ્યાપીઠ વેડછીમાં રાખવામાં આવેલ હતો. તેમાં અમારી સંસ્થા કસ્તુરબા અધ્યાપન મંદિર,બોરખડીમાંથી 5 તાલીમાર્થી બહેનો કલ્પના,ધ્વનિ,કોકિલા,સરસ્વતી,પીનલ એ ભાગ લીધો હતો.જેનો સમયગાળો 23/6/18 થી 25/6/18 સુધી નો રાખવામાં આવ્યો હતો. શિબિરમાં શીખવવા માટે આવેલા તજજ્ઞો ડો.નરેંદ્રભાઈ શાસ્ત્રી, ઉષાબેન મઢીકર, યશોદાબેન સોની, નલીનભાઈ ટંડેલ, આશાબેન પારેખ, અનિલભાઈ, મનીષભાઈ, કરુણાબેન, અર્જુનભાઈ, ઉદયભાઈ, દ્રુપદભાઈ, તિતિક્ષાબેન, જૈમિનભાઈ વગેરે લોકોએ અમને વર્ષા ગીત, પ્રાર્થના, કાવ્યો, દેશભક્તિ ગીત વગેરે શીખવ્યા હતા.

21-06-2018
વિશ્વ યોગ દિનનો અહેવાલ


કસ્તુરબા અધ્યાપન મંદિર, બોરખડી તા.૨૧/૦૬/૧૮ ના રોજ ‘વિશ્વ યોગ દિન’ ની ઉજવણી કરવામાં આવી તેમાં તાલીમાર્થી બહેન અને અધ્યાપકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. યોગની શરૂઆત સવારે 7 કલાકથી કરવામાં આવી હતી જેમાં સૌ પ્રથમ હળવી કવાયત કરવામાં આવી. હળવી કવાયત જેવી કે , ડોકનું પરિભ્રમણ, ખભાનું પરિભ્રમણ,હાથનું પરિભ્રમણ,કાંદાનુ પરિભ્રમણ,ઘુંટણનું પરિભ્રમણ,પગનું પરિભ્રમણ વગેરે..ત્યારબાદ બેસીને કરી શકાય તેવા આસનો જેવા કે પદ્માસન,પશ્ચિમોતાસન,અર્ધ વક્રાસન,વજ્રાસન વગેરે.. કરવામાં આવ્યા.આમ, અમને આસનો ખૂબ સરળતાથી કરાવ્યા અને તેનું મહત્વ પણ સમજાવ્યું. ત્યારબાદ ઉભા ઉભા કરી શકાય તેવા આસનો જેવા કે તાડાસન,ત્રિકોણાસન,વૃક્ષાસન,ગરુડાસન વગેરે આસનો કરવામાં આવ્યા પછી સુઇને કરી શકાય તેવા આસનો જેવા કે ઉત્તાનપાદાસન,મકરાસન, ભુજંગાસન,સવાસન વગેરે આસનો કરવામાં આવ્યા.આમ, અમને તમામ આસનોના ફાયદા સમજાવ્યા અને તેના દ્વારા શરીરના વિકાસની સમજ આપવામાં આવી.ત્યારબાદ પ્રાણાયામ જેવા કે ઓમકાર,કપાલભાતી,ભ્રામરી,અનુલોમ-વિલોમ,ધ્યાન વગેરે પ્રાણાયામ થયા. આમ, અમારી કોલેજમાં ‘વિશ્વ યોગ દિન’ ઉજવણી ખૂબજ ઉત્સાહથી કરવામાં આવી.સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન એલિશાબેન,સરિતાબેન અને કોકિલાબેને કર્યું. અમને તો આસન અને પ્રાણાયામ કરવાની મજા આવી.સાથે સાથે અમારા અધ્યાપકોને પણ ખૂબ મજા આવી.ખરેખર આ દિવસે અમને યોગ અને આસનો વિશે શીખવા અને જાણવા મળ્યું.